Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ એથી ઉપસર્નાદિ આવ્યા વિના રહે નહિ. જેને પોતાની ભૂલનો ખ્યાલ ન આવે તે દુઃખ આવે ત્યારે ચિડાય, પણ જેને પોતાની ભૂલનો ખ્યાલ આવે તે દુઃખ આવે ત્યારે શાને ચિડાય ? સમજું તો સમજે કે “આ વખતે ચિડાવાની ભૂલ કરવી, એ વર્તમાનના દુઃખને તો વધારનાર છે, પણ ભવિષ્યના દુઃખનેય સર્જનાર છે. હવે તો આ દુઃખમાં પણ શ્રી જિનાજ્ઞાની જ આરાધના કરે.' આ વિચારથી મનની પ્રસન્નતા ટકી રહે ને ? અને આવા વિવેકપૂર્વક શ્રી જિનપૂજામાં રત રહેવાથી, ઉપસર્ગો તથા વિદનો પણ ટળી જાય ને ? હા, કેમ કે ઉપસર્ગો તથા વિદ્ગોનું કારણ તો કર્મનો યોગ છે અને આત્માની સાથેના કર્મના યોગને ટાળવાનો પ્રયત્ન ચાલુ છે, એટલે ઉપસગદિને પેદા કરનારાં કર્મોની નિર્જરા પણ ચાલુ જ છે. આમ શ્રી જિનપૂજા કેવી મહા ફળવતી બની જાય, તેનો ખ્યાલ આવે છે ? કર્મસત્તાથી મુક્ત બનવા માટે શ્રી જિનપૂજા : કર્મસત્તાનો તમને ખ્યાલ છે? કર્મસત્તા, એ એક એવી સત્તા છે કે જે એનાથી મુક્ત બને તે ફાવે, પણ જે એની સત્તામાં હોય તે એને છેતરી શકે નહિ. તમે મંદિરમાં ભગવાનની પાસે જઈને ગમે તેમ સમજાવવા જેવું કરી આવો એય બની શકે અને અમને પણ ઉઠાં ભણાવી જાઓ–એય બની શકે, પણ કર્મસત્તાને કોઈ ઠગી શકતું નથી. દેવને નથી માનતા-કહીને તમે આઘા રહી શકશો; ખુદ ભગવાન વિચરતા હતા ત્યારે પણ એ તારકને નહિ માનનારા જીવો હતા; ગુરુઓને નથી માનતા, ધર્મને નથી માનતા, શાસ્ત્રોને નથી માનતા–આવું બધું કહીને તમે આઘા રહી શકશો, પણ કર્મસત્તાને નથી માનતા-એમ કહેશો એટલે કર્મસત્તાથી આઘા નહિ રહી શકો. દેવાદિને નથી માનતા–એવું કહેનારાઓને, દેવાદિની અવગણના કરનારાઓને, કર્મસત્તા જ્યારે એનું ફળ આપે છે, ત્યારે એમની એવી એવી દશા પણ થઈ જાય છે કે ખાવાનું મળે નહિ અને ખાવાનું મળે તોય ખાઈ શકાય નહિ, પીવાનું મળે નહિ અને પીવાનું મળે તોય પી શકાય નહિ ! તમે તો હજુ આ ભવમાં ખાસ કાંઈ પીડાઓ જોઈ નથી, પરંતુ કર્મસત્તાના યોગે જીવોને એવી એવી પીડાઓ ભોગવવી પડે છે, કે જે ( ૨૧-જિનપૂજા અને તેનું ફળ allllllllllllllllllllllllllllllllllllllllllli Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38