Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ વાત શાસ્ત્રોમાં અનેક રૂપમાં અંકિત કરેલી છે, સ્તુતિઓમાં ગોઠવી આપેલી છે, પણ આ વાત આપણા અન્તઃકરણમાં અંકિત થઈ ગયેલી હોવી જોઈએ. મહાપુરુષોએ અંકિત કરેલી આ વાત તમારા અંતરમાં અંકિત થયેલી છે કે નહિ ? જો હા, તો તમને બીજી બીજી ચીજોની ઈચ્છાઓ થાય છે તે પાપે પેદા કરેલી છે એમ લાગે છે ને ? અને, તમને તો શ્રી જિનની ભક્તિ તથા શ્રી જિનકથિત માર્ગની ભક્તિ જ જોઈએ છે ને ? તમે પોતે તો એ જ ઈચ્છો છો ને કે ‘ભવોભવ મને રોજ શ્રી જિનની દ્રવ્યથી અને ભાવથી ભક્તિ પ્રાપ્ત હોજો ?' હૈયાથી ન તો શ્રી જિન પ્રત્યેની ભક્તિ ખસી જાય, ન તો શ્રી જિને કહેલા માર્ગ પ્રત્યેની ભક્તિ ખસી જાય, એ જ તમારી પરમ ભાવના છે ને ? એ માટેની તમને કાળજી પણ ખરી ને? આ ચીજ જેમને હૈયે હોય છે, જેઓ આ ચીજને હૈયે રાખનારા છે, તેઓનો આ લોક પણ સુંદર બને છે, પરલોક પણ સુંદર બને છે અને અંતે તેઓ પરમાત્મપદને પામ્યા વિના પણ રહેતા નથી. આવી ભક્તિનો ભાવ હૈયે વસી જાય, તો બીજી ત્રીજી ઈચ્છાઓ મર્યા વિના રહે નહિ અને અંતે આજ્ઞાપાલન સ્વરૂપ ભક્તિમયતા પ્રાપ્ત થયા વિના પણ રહે નહિ. તમારા હૈયામાં શ્રી જિન પ્રત્યેની ભક્તિનો અને શ્રી જિને કહેલા માર્ગ પ્રત્યેની ભક્તિનો ભાવ સુદઢ બને અને તમે શ્રી જિનની આજ્ઞાના પાલનમય ભક્તિને પામીને પરમાત્મપદે પહોંચો એ જ એક શુભાભિલાષા. B ૩૦ T પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38