Book Title: Jain_Satyaprakash 1956 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું | ૩% બન . अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨ | વિક્રમ સં. ૨૦૧૨:વીર નિ. સં. ૨૪૮૧ ઈ. સ. ૧૫૬ क्रमांक અંઃ ૨૦ | અષાડ સુદ ૮ રવિવાર : ૧૫ જુલાઈ २५० સાધના દ્વારા સિદ્ધિ લેખક: પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહત્તા એ જન્મસિદ્ધ નથી, પણ સાધનાસિદ્ધ છે. સિદ્ધાન્તની નિષ્ઠા અને સાધના દ્વારા માણસ દિનપ્રતિદિન આગળ વધે છે અને મહત્તાની ટોચે પહોંચે છે. સગાની સમાનતામાં જન્મવા છતાં એક મહાન બને છે, બીજે તુચ્છ રહે છે. એકના બેલને સૌ ઝીલે છે, બીજાને કોઈ સાંભળતું પણ નથી. એક હજાર વર્ષ સુધી ઈતિહાસ યાદ કરીને પૂજે છે, બીજાને જીવતાં પણ કોઈ નથી બેલાવતું. એનું કારણ શું ? ભાગ્ય ? ના. એનું કારણ એ જ કે એક પવિત્ર અને પ્રામાણિક વિચારને વળગે છે, અને એ વિચારને પિતાના આચારમાં મૂર્ત કરવા સતત સાધના કરે છે, વાસનાને સંયમથી અને ભેગને ત્યાગથી જિતે છે. બીજો માત્ર વિચાર જ કર્યા કરે છે. આચારમાં શુન્ય જ રહે છે. વિચારને આચારમાં મૂર્ત કરનારનું સ્વપ્ન પણ પ્રત્યક્ષ કરતાં વધુ નક્કર હોય છે. એનું સામાન્ય વચન પણ સત્યને પ્રકાશિત કરે છે, એની કલ્પના વાસ્તવિકતાને સર્યા વિના જંપતી જ નથી, માણસ ધીમે ધીમે સંગ પર પ્રભુત્વ મેળવતો જાય છે, અને એ સંગોને સ્વામી બને છે. આવા માણસનું હૃદય શુદ્ધ અને બળવાન હોવાના કારણે ત્યાં તરંગોને સ્થાન નથી, ત્યાં તો સિદ્ધિનું સ્વપ્ન હોય છે. એ ઝાંખું હોય છતાં એની પાછળ નિષ્ઠા અને વાસ્તવિકતાનું સામર્થ હોય છે અને તેથી જ એની સિદ્ધિમાં વિને આવતાં કુસુમથી કમળ એ તે વજથીય કોર થઈ જાય છે અને ધૈર્ય પૂર્વક વિપત્તિનો સામનો કરે છે. માનવ આ રીતે વિચારને આચારમાં મૂર્ત કરવા જાય છે ત્યારે માર્ગમાં વાસના અને પ્રલોભને આવી એને ધ્યેયથી વિચલિત કરવા ખૂબ પ્રયત્ન કરે છે – For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28