Book Title: Jain_Satyaprakash 1956 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ છે. પણ રે, જરાય વેદના અનુભવ્યા વિના સેંકડો માનવીઓને મોતના મુખમાં ધકેલી દેનાર ચાંડાલનું હૈયું આજ પાછું કે પડે ? એ દોરી ખેંચવાને વળી વળી વિચાર કરે છે અને એનું મન વળી વળી પાછું પડે છે. એ આમ ફરે છે અને તેમ ફરે છે, પણ એનું મન જાણે આજે એને સાથ આપવા માગતું નથી. પથ્થરમાં ઝરણું ફૂટી નીકળે એમ એના અંતરમાં આજે કરુણાનો ઝરે વહી નીકળે છે. રાજઆજ્ઞાનું પાલન કરવાને દેખાવ કરી ચાંડાલ નમુચિને પિતાને ત્યાં લઈ ગયે ત્યારે જ એના અંતરને જંપ વળે. ચાંડાલને બે દીકરા. એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ. બે દેવકુમાર જ જાણે જોઈ લેજો રૂપે રંગે સૌનું મન હરી લે એવા. રાંકને ત્યાં જાણે રતન. બેય ભાઈ નમુચિ પાસે સંગીત શીખવા લાગ્યા. થોડા જ સમયમાં બંને સંગીતવિદ્યામાં નિપુણ બની ગયા, શું એમના કંઠ અને શું એમનું ગાન ! એ ગાવા લાગે ત્યારે જાણે ધરતી આખી થંભી જાય ! સ્વરોની દેવીનું જ જાણે સર્વ સામ્રાજ્ય સ્થપાઈ જાય. ગુરુથી જાણે ચેલા સવાયા નીવડવા. પણ નમુચિનાં ભાગ્ય અહીં પણ ફૂટેલા નીવડ્યા. અહીં પણ એ સદાચારનો મારગ ચૂક્યો અને એને રાત લઈને નાસવું પડ્યું. ચિત્ર અને સંભૂતિ પિતાને ધંધે વીસરી ગયા છે અને સંગીતના બળે પિતાની આજીવિકા રળે છે. એ જ્યાં ગાવાનું શરૂ કરે છે ત્યાં માણસોની ભારે ઠઠ જામી જાય છે. કાશીનગરના પહોળા રાજમાર્ગો અને મોટામોટા ચૌટા ને ચોકે પણ સાંકડા બની જાય છે. આખી માનવ-મેદની ત્યારે એ સ્વરમાધુર્યમાં મસ્ત બનીને ડોલવા લાગે છે. સ્થળ અને કાળના ભેદ પણ જાણે ત્યાં ભુલાઈ જાય છે. સંગીતની સરિતાનાં અમૃત જાણે બધે ફેલાવા લાગે છે. પણ ગમે તેવા નિપુણ હોય તેય આ તે ચાંડાલ ! એમને તે વળી આવી વિદ્યા અને આવી ખુમારી કેવી! એમને તે ભલો એમને ઘ અને ભલાં એમનાં અધમ કાર્યો. ગધેડા ઉપર તે વળી અંબાડી હોય ? અને કાશીની પ્રજામાં આ ગણગણાટ ઘેરે બનતે ચાલ્યો. પંડિતો અને સંગીત શાસ્ત્રીએને આમાં પિતાની હીણપત લાગી. વિદ્યા અને કળા તે ઊંચ કુળને વારસે. આવા અધમેને ત્યાં એ જાય, તે તો હળાહળ કળિયુગ વ્યાપી જાય. અને વાત વધતી વધતી ઠેઠ કાશીરાજની પાસે પહોંચી ગઈ. પંડિત અને શાસ્ત્રીઓએ દાદ માગીઃ “આ અધમેને આવું અપકૃત્ય કરવા માટે સજા કરી અને એમની વિદ્યાને રાજઆજ્ઞાનાં એવાં તાળાં વાસી દ્યો કે ભવિષ્યમાં એ નીકળવા જ ન પામે. ' ચિત્ર અને સંભૂતિને કાશીરાજની સમક્ષ ખડા કરવામાં આવ્યા. કાશીરાજે ફરમાવ્યું: “બાળકે ! તમે ઉચ્ચ વર્ણને ચોગ્ય કળા હાંસલ કરવાને ભારે ગુને કર્યો છે. આ ગુનાની સજા ભારે આકરી છે. પણ તમેય મારા પ્રજાજનો છે એટલે તમે તમારી કળાને છેડીને તમારા ચાંડાલના કામમાં લાગી જાઓ ! અત્યારે તો તમને ન્યાયાસન આટલી જ સજા ફરમાવે છે.' For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28