Book Title: Jain_Satyaprakash 1941 04 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદષ્ટિએ ભૂગોળ-બંગાળ [ ૫] છે. રસ. ૧૪૮૨માં કે અમેરિકાને શોધી કાવ્યો તે પહેલાં અમેરિકાનું અસ્તિત્વ છતાં એ દેશ અપ્રસિદ્ધ-અપ્રગટ હતો, અહીં વિચારશીલ વિધાનોએ વિચાર કરવાની જરૂર છે કે કોલમ્બસે કરેલી અમેરિકાની શેધ પહેલાં પૃથ્વીને આકાર કેવો મનાયે હતો ? અને ધ કર્યા બાદ તે આકારમાં કોઈ ફેરફાર થયો કે કેમ ? જે અમેરિકાની શોધ પહેલાં પણ ગોળ જ સ્વીકારીએ તો શેધ થયા બાદ પ્રથમની આકૃતિમાં કોઈ પણ ફેરફાર થે જોઈએ, ધ થયા અગાઉ પૃથ્વીને આકાર ગોળ ન હતું એવું જે માનીએ તો પૃથ્વીના ગોળ આકાર સંબંધી કાંઇ ચેસ માન્યતા થઈ શકતી જ નથી, કારણ કે જેમ કેલિમ્બસે અમેરિકા શે ત્યારબાદ, છેડા વર્ષો પહેલાં જ અમુક વ્યક્તિના સાહસથી ન્યુઝીલેન્ડ ધા, તેમ હજુ પણ એ ગોળાકાર મનાતી પૃથ્વીના પડ ઉપર બીજા અપ્રગટ દેશનું અસ્તિત્વ નહિ હોય તેની શી ખાત્રી ? અને જ્યાં સુધી એ અપ્રગટ દેશના અસ્તિત્વ સંબંધી કોઈ પણ એક્સ નિર્ણય ઉપર ન અવાય ત્યાં સુધી “પૃથ્વીને આકાર અમુક પ્રકારને ગોળ છે,” એવી માન્યતા પ્રગટ કરવી એ વિચારવાન વ્યક્તિને યોગ્ય નથી. પહેલાં અર્ધગોળ માને અને હાલ સંપૂર્ણ ઈડા જેવો ગોળ કાર માને તે પણ હજુ સુધી ઉત્તર અને દક્ષિણ ધ્રુવની તરફના પ્રદેશની ધ ન્યૂન હોવાથી ઉત્તર કે દક્ષિણ તરફની મુસાફરી એક દિશાની પૂરેપૂરી થઈ શકી નથી અને તે વિના પૂર્વ-પશ્ચિમની મુસાફરી મધ્યક્ષેત્રમાં રહેલ ધ્રુવની ચારે બાજુ કેમ ન હોય ? “સમુદ્ર કિનારેથી ચાલી જતી ટીમર શરૂઆતમાં સંપૂર્ણ દેખાય છે. અમુક પ્રમાણમાં દૂર જતાં સ્ટીમરની નીચેનો ભાગ દેખાતો બંધ થાય છે. વિશેષ દૂર જતાં નીચે ભાગ વિશેષ પ્રમાણમાં દેખાતો બંધ થાય છે. ટીમરનું અને સમુદ્ર કિનારાનું ઘણું અન્તર પડતાં દરીઆ કિનારે ઊભેલ વ્યક્તિ ફક્ત ટીમરના અગ્રભાગ (ભુગળા)ને અથવા ધૂમાડાને જ દેખી શકે છે, અને તેથી આગળ જતાં ટીમરને તે ભાગ પણ દેખાતો બંધ થાય છે, માટે પૃથ્વી નારંગી સરખી ગેળે છે. એમ માનવા કારણ મળે છે. આ પ્રમાણે રવયં સમજનાર અને અન્યને સમજવનારા પાશ્ચાત્ય વિદ્વાનોને જણાવવાની જરૂર છે જે સમુદ્રકિનારાથી દૂર દૂર જતી સ્ટીમરને નીચેનો ભાગ વિશેષ વિશેષ ન્યૂન દેખાય છે તેમ થવામાં કારણ પૃથ્વીની નારંગી સરખી ગેળાઈ છે કે ચક્ષુને તે પ્રમાણે દેખવાને સહજ સ્વભાવ છે ? જે પૃથ્વીની નારંગી સરખી ગોળાઈ જ તેમ થવામાં કારણ હોય તે સમુદ્ર કિનારે ઊભેલ બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિની ચક્ષુઓ મન્દ તેજવાલી છે, અને અન્ય વ્યક્તિની ચક્ષુઓ નિર્મળ હેઈ વિશેષ તેજવાળી છે, તેમાં મન્દતેજ યુકત વાળી અમુક સ્થળે દૂર રહેલી સ્ટીમરને જેટલા પ્રમાણમાં દેખે છે. તે અપેક્ષાએ નિર્મળ ચક્ષુવાળી વ્યક્તિ તે જ ટીમરને વિશેષ પ્રમાણમાં જોઈ શકે છે. જે પૃથ્વીની નારંગી સરખી ગેળાઈથી ટીમર સંબંધી નીચેનો ભાગ દબાઈ ગયે (ટંકાઈ ગઈ હોય તે સ્પષ્ટ-અસ્પષ્ટપણે ભલે સ્ટીમરને તેટલે તેટલે વિભાગ બનેને યથાસંભવ દેખી શકાય, પરંતુ તેમ નહિ થતાં મન્દ તેજવાળ નીચેનો ભાગ દેખી શકતા નથી, કેવળ ઉપરનો જ ભાગ જોઈ શકે છે, જ્યારે નિર્મળ ચક્ષુવાળા પુરુષ સ્ટીમર સંબંધી ઉપર-નીચેના ભાગને સ્પષ્ટપણે જોઈ શકે છે. આ હકીકત અનુભવસિદ્ધ છે. એથી સાબીત થાય છે કે સ્ટીમરને નીચે ભાગ ન્યૂન ચૂન દેખાવામાં પૃથ્વીની નારંગી સરખી ગેળા એ કારણ નથી, કિંતુ ચક્ષને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54