Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનદર્શન અને આમોદ દોષ [“કલ્યાણ” માસિકમાંના એક લેખ સંબંધી વિચાર! લેખકઃ–શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા, પાલિતાણા. કલ્યાણ માસિકના વર્ષ દશમાના પહેલા અંક તરીકે યોગાંક નામને મેટ દળદાર અંક પ્રગટ થયો છે. તે અંકમાં “ચોરાય કુછ હાનિકા સિદ્ધાંત” નામ લેખ વિદ્વાન વામન મારતનrg લખેલો છે. તેમાં “આત્મા” સંબધીની માન્યત માં, નવીન મા ચામર રોષ ઉપસિથત હૈ. એમ, નીચેનું લખાણ એકાંત દષ્ટિએ લખી, માનવામાં આવ્યું છે, તે સમીચીન નથી. એમાં જૈન સિદ્ધાંત સંબંધી માન્યતામાં તેમની ગેરસમજ થતી હોય તેમ અવકાય છે. કારણ કે રબર પુલ છે, રૂપી છે, સાવયવી છે. ત્યારે આને ચેતન છે, અરૂપી છે અને નિરવયવી છે. તેથી રમ્બરને દાખલ આપી આત્માને તેની સાથે સરખાવી શકાય નહિ. વળી જે પુદગલ છે તે રૂપી અને વિનાશી છે, તેથી તેના ખંડનાત્મક દ્રષ્ટિએ જેટલા વિભાગ કરવા હોય તેટલા થઈ શકે છે, તેથી તેમાં કેદ થવો સંભવી શકે છે, પરંતુ જે આત્મા અરૂપી, અવિનાશી અને અખંડ છે તેની તુલના પુદગલ ધર્મની સાથે કરવી તે અવાસ્તવિક છે, તે સાધારણ બુદ્ધિથી પશુ સમજી શકાશે. તેથી જ આ લેખને અત્રે રસ્થાન આપવાની અનિવાર્ય જરૂર પડી છે. યોમાંકના ૨૮૪ માં પાને નીચે પ્રમાણે તેઓ મહાશય જણાવે છે - “जैन लोग आत्माको शरीरपरिणाम-हस्तीका आत्मा हस्ती-शरीर जीतना लंबा व चौडा, घोडेका आत्मा घोडेके शरीर जितना, और पिपिलिकाका आत्मा उसके अपने शरीर जीतना मानते हैं । शरीर परिणाम माननेसे संकोच विकासवाला मानना होगा, और जो पदार्थ संकोच विकासवाला होता है वह रबरके समान सावयव होता है । सावयवके लिये घटके समान परिणामि होना आवश्यक है । अतः जैन दर्शनमें भी आत्मोच्छेद दोष उपस्थित है." ઉપર પ્રમાણે તેમાં લખાણ આલેખવામાં આવેલું છે. પ્રથમ તો લેખક મહાશય રખરને દાખલે આપી રબર લાંબુ ટુંકુ થાય છે તેથી તે સાવયવી છે એમ કહી આભેદને દોષ પ્રતિપાદન કરે છે. આ સંબંધમાં જૈન માન્યતા કઈ છે તે વિચારીએ. અમારામાં એક શિષ્ય ગુરૂમહારાજને પૂછેલું કે હાથીનો આત્મા મોટો અને કિડિને આત્મા ના હશે? ત્યારે ગુરૂ મહારાજે જણાવ્યું કે હે શિષ્ય ! તું માને છે તેમ આત્મા નાને મોટો નથી, તે તે પોતાના જ વરૂપે રહે છે. સર્વ કોનો આત્મા એક સરખો હોય છે. આમાના અસંખ્યાત પ્રદેશ છે. તે જે પુદ્ગલ શરીરમાં દેહ ધારણ કરે તેને વ્યાપીને રહે છે. શરીરના કોઈ પણ ભાગ ઉપર ચેટીઓ ભરો તે તેથી આખા શરીરને સહન કરવું પડે છે. તેથી તે ઉપરથી પણ સમજાશે કે આત્મા જે શરીરમાં વ્યાપીને રહે છે-તેના દેહપ્રમાણુ અસંખ્ય આત્મ પ્રદેશ વ્યાપીને રહે છે. આત્મા શિવ-નિરૂપવ, અયલ-સ્થિર, અરૂ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60