Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩ ] સંપાદકીય વકતવ્ય [૧૦૩] તેમના દષ્ટિબિંદુમાં તેમને વિશાળ અંતર જણાય છે અને એમ કહીને તેઓ આ ચર્ચા ભીની સલાઈ જાય એમ ઇચ્છતા હોય એમ લાગે છે. અમે આ બાબતમાં તેમની સાથે કેવી રીતને પત્રવ્યવહાર કર્યો છે, એ પત્ર-વ્યવહારનાં ધારનું અને ક્ષેત્રને કેવી રીતે મૂળ વસ્તુને સ્પર્શી રહે એટલાં મર્યાદિત રાખ્યાં છે તથા અંગત આક્ષેપ તેમજ “રાજમહત્યા ”ને આખા પુસ્તકને લગાવવાના પ્રયનથી અમે કેટલા દૂર રહ્યા છીએ; એ બધું એ આખે પત્રવ્યવહાર પોતે જ કહી શકે એમ છે. અત્યાર સુધી ચર્ચાએલા આ આખાય પત્ર-વ્યવહારમાં વિતંડાવાદની ગંધ સરખી પણ નથી, એમ કોઈ પણ તટસ્થ વાંચનાર કહ્યા વગર નહીં રહે. આ પ્રકરણ ઉપાડયું તે વખતે અને અત્યારે પણ અમારી તે એક જ દૃષ્ટિ હતી અને છે કે કોઇ પણ રીતે આ પુષ્કતમાંના આવા લખાણ પરત્વે, જાહેરમાં વધુ હે હા કર્યા વગર કે જાહેર પેપરમાં લાંબી ચર્ચામાં ઉતર્યા વગર, શ્રી ચુનીભાઈ સાથે સીધે પત્રવ્યવહાર કરીને ગ્ય સમાધાન કરવું જેથી એક (સ્થાનકવાસી ) જન લેખકના હાથે જનો માટે જે કાંઈ લખાયું હતું તેનું પરિમાર્જન થઈ જાય. આ પ્રશ્ન પર જાહેરમાં ચર્ચા કરવાની અમારી જરા પણ ઇચ્છા ન હતી. અમે તે માનીએ છીએ કે જાહેર ચર્ચા કરતાં અંદર અંદરની વાટા ઘાટ આવા પ્રસંગે વધુ ઉપયોગી થઈ પડે છે. આ વાતને પ્રત્યક્ષ પુરાવો એ છે કે આ અંગે અમે જે પ્રથમ પત્ર શ્રી. ચુનીભાઈને લખ્યું હતું તેને અમે વર્તમાનપત્રોમાં પ્રગટ કરવા મોકલ્યા ન હતા. આ પ્રકરણ જાહેરમાં મૂકવાનું પ્રથમ પગલું શ્રી. ચુનીભાઇએ, તેમણે અમારા ઉપર તા. ૧૨-૮-૩૭ લખેલા પત્રની નકલ જાહેરાત માટે જૈન વર્તમાનપત્રો ઉપર મેકલીને ભર્યું છે. જ્યારે તેમણે આ પ્રમાણે વર્તમાન-પત્રને આશરો લીધો ત્યારે એ આખું પ્રકરણ જાહેર સમક્ષ મૂકવાનું અમારા માટે અનિવાર્ય થઈ પડયું. આ આખું પ્રકરણ ઉપસ્થિત થવાનું મૂળ કારણ નવલકથામાં કલ્પનાને-કલ્પિત પાત્રોને અને કલ્પિત ઘટનાઓને-ઉપયોગ છે. અંતિહાસિક નવલકથામાં કલ્પના કે કલ્પિત પાત્રોને સમૂળગું સ્થાન ન હોય એમ અમે કહેતાં નથી– કોઈ પણ કહી શકે નહીં. અમે તે માત્ર એટલું જ કહીએ છીએ કે એ કલ્પના-કલ્પિત પાત્ર અને કલ્પિત ઘટનાને ઉપયોગ એ ન જ થઈ શકે કે જેથી નિર્દોષ પાત્ર દોષિત બને કે એક ઐતિહાસિક વ્યક્તિના જીવનમાં ન બનેલી ખરાબ બીના તેના જીવન સાથે વણીદેવામાં આવે. આ જ વાત અમે અમારા તા. ૧પ-૮-૩૭ના પત્રમાં નીચેના શબ્દોમાં લખી છે – “ઐતિહાસિક નવલકથા લખવામાં કલિપત પાત્રાનું સર્જન કરવું જે અનિવાય જ હેય તે, કલ્પિત પાત્રને સંબંધ કલ્પિત પાત્રો પરતે અથવા તો સાચાં પાનું વ્યકિતત્વ દૂષિત ન થતું હોય તેટલા અંશે મર્યાદિત રાખવો જોઈએ.” અમને એ વાત લખતાં આનંદ થાય છે કે શ્રી. ચુનીભાઈએ પણ અમારી આ વાતને તેમના પત્રમાં જુદા શબ્દોમાં સ્વીકાર કર્યો છે. આ રહ્યા એમના શબ્દો -- “હું માનું છું કે કલ્પિત પાત્રને સંબંધ ઐતિહાસિક પાત્રો સાથે ઈષ્ટ કે અનિષ્ટ હરકેઈ પ્રસગમાં ઔચિત્ય પૂર્વક જોડી શકાય તમે તેમ માનતા નથી.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60