Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
શારદા સેવન ત્યજી દીધું પણ મંદિરો–પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પિતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને પાટે અમદાવાદની સલતનત તૂટી ત્યારે શ્રી હીરવિજયસુરિ નામે સાધુ થયા હતા. આગ્રે જઈ ઈબાદત ખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધમીઓને તેમણે જૈન-ધર્મને મહિમા બતાવ્યો. આ ઈતિહાસ શું કહે છે? અગ્રગણ્ય નાગરિક જૈનોનો સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાન્ડમાં હતો અને શ્રી હેમચન્દ્રસૂરિની માફક અમાસને દિવસે પ્રકાશજજવલ પૂણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓ સુધી દરિયે ખેડી લાંબી સફર કરી દેશ દેશાવરની લક્ષ્મી લાવી ગુજરાતમાં ઢળતા, પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતાં અણહિલપુરની ગાદીલેં ગૌરવ જાળવતાં–વધારતાં બીજા દેવોનાં મંદિરો ખંડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતીદેવીના મંદિરો જેનસાધુએના ભિષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યાં હતાં. દેલવાડા પરના વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સૌન્દર્યથી ગુજરાત વિભૂષિત થતું હતું. રાજ્યની ઊથલ-પાથલ, અંધાધુંધી અને બીન સલામતી વારંવાર નડતી છતાં પોતાના ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે ગૂજરાતને વેપાર પડી ભાંગવા ન દીધો અને પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શાન્તિ સતેજ રાખ્યાં.”
હવે અઢારમી સદીનાં પ્રખ્યાત કવિ મુનિવરોના નામોની નોંધ રજુ કરીએ છીએ.
લેખનકાળ સં. ૧૭૧૬ થી ૧૭૪૩ સુધી ૨૮ વર્ષ શ્રીયવિજયજી ઉપાવે એ
ગ્રંથ રચના કરી સં. ૧૬૮૮ થી ૧૭૩૮ ૪૯ વર્ષ શ્રી વિનયવિજયજી ઉપાએ ,,