Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૮ દેવનો નિમિત્ત કારણ રૂપ છે. તેઓનું બહુમાન, ભક્તિ કિંવા સ્તવન એ આપણને આપણા મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાના સાધન ૫ છે. નિમ્ન વચનો એ વાતની સાક્ષી પુરે છે અજકુલગત કેશરી લહેરે નિપદ સિંહ નિહાળ.
શ્રીમદ્દ દેવચંદ્રજી .. इलिका भ्रमरी ध्यानान, भ्रमरीत्वमश्नुते
ઉપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજ આ જન સાહિત્ય-રને અર્થાત જન ગૂર્જર સાહિત્ય રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી નામના પુસ્તકમાં ઉપરના જે તીર્થકરોની વાત કહેવામાં આવી છે અને જેમના પવિત્ર નામોથી લોગસ્સ અને બહત શાન્તિ જેવા સૂત્રે અલંકૃત છે એમાંના પાંચ સંબંધે જૂદા જૂદા મુનિ પુંગવોના હાથે પિત પિતાના જીવન કાળમાં, એ પરમાત્માની મૂર્તિના દર્શને જે હાર્દિક ઉલ્લાસની ઉર્મિઓ પ્રગટી તે સ્તવન પે લાભે છે અને એનો અહીં સંગ્રહ કરવામાં આવેલ છે એ સાધુ મહાત્માઓએ આ જાતની સ્તવનાનો વીશે જિનેશ્વરે યાને તીર્થકરોની કરી છે અને ચોવીશી નામથી એ મશદર પણ છે છતાં ગ્રંથ વિસ્તાર ન વધે તેમ કલ્યાણ કંઇ જેવી સ્તુતિમાં જે પાંચને મૂખ્ય પણે સ્તવ્યા છે એ વાતને ધ્યાનમાં રાખીને, એ પાંચને લગતા સ્તવનો આ પુસ્તકમાં દાખલ કર્યો છે.
આ ઉપરાંત એમાં જે વિશેષતા છે તે એ છે કે સ્તવન રચનાર મુનિરાજે વિષે જૂદા જુદા સ્થળેથી પ્રાપ્ત થયેલ માહિતી તેમજ તેઓ શ્રીની અન્ય કૃતિઓ અને સાથે સાથે એ મહાત્માઓ જે સમયે થયા તેની સાલવારી આપેલ છે. આજના યુગમાં આ પ્રકારની નોંધ ખાસ મહત્ત્વ ધરાવે છે. એ સામગ્રી જે જે પુસ્તકમાંથી મેળવવાનો પ્રયાસ સેવ્યો છે એ દરેકની એના કર્તાના નામો સહિત ઉલ્લેખ કરીને જેમ પ્રસિદ્ધ કર્તા એ પોતાની નિખાલસતા પુરવાર કરી છે તેમ એ દ્વારા ઈતિહાસ રસિકોને અને પુરાતત્ત્વ ગષકોને પિતાના સંશોધનમાં ખાસ કામ લાગે તેવો મશાલો પુરા પાડ્યો છે.