________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવી શકતો નથી. વળી કહેશે કે તેની શબ્દવડે બનાવવાની શક્તિ હતી તેથી બનાવ્યું, તે તે પણ ખોટું છે. તેવું પણ બનવું અશક્ય છે. વળી કારણે કાર્ય નિપજે એ સિદ્ધાંત છે છતાં તેમણે કારણ વિના જગતું કેમ બનાવ્યું. રાગ દ્વેષાદિ દૂર થયા હોય તેને પ્રભુ કહેવાય એ કેઈથી ના પડાય તેમ નથી, તો વિચારો, કે જે પ્રભુને ઈચ્છા થઈ, જગત્ બનાવ્યું, તેપર સત્તા ચલાવી. તેથી તે રાગી થયે એમ સ્પષ્ટ થયું. જેથી કરીને તેને પ્રભુ કેવી રીતે મનાય? નજ મનાય. વળી જગતુ બનાવ્યા પહેલાં તેની ઈચ્છા હોય એમ સંભવતું નથી, જે ઈચ્છા હતી તે તે વખતે બનાવત. વળી તમે કહો છો કે દુનીઆ જે બની તેને છ હજાર વર્ષને આશરે થયો. ને પ્રભુ તે અનાદિને છે. આ ઉપરથી જણાય છે કે છ હજાર વર્ષ પહેલાં પ્રભુને ઈચ્છા સંભવતી નથી અને તે પહેલાં જગત્ પણ નહોતું? ત્યારે તે પ્રભુ કયાં કયાં કામ કરતું હતું તે પણ જણાતાં નથી. તેમજ વળી જે શક્તિમંત હોય તે તે ક્ષણ વારમાંજ ઈચ્છાનુસાર કાર્ય કરે, તેમ પણ તમારા પ્રભુની ઈચ્છા થઈ, તથાપિ તેને જગત્ બનાવતાં છ દિવસ થયા. વળી તે પ્રભુએ બધી વસ્તુના આકાર પહેલાંથી નકી કર્યા કહેવામાં આવે છે; તે અમે પુછીએ છીએ કે, પ્રભુએ આકાર તૈયાર કરી ક્યા ઠેકાણે રાખ્યા ? કદાચ તમે કહેશો કે પ્રભુએ તે પિતાની પાસે રાખ્યા, તે પછી પહેલાંથી વસ્તુઓ સિદ્ધ કરી તે ઈશ્વરે જગત્ બનાવ્યું એ ખોટું કરે છે.
ખ્રીસ્તી–પ્રભુએ પિતાના દીકરા ઈસુને જગતપર લોકોને પિતાને મહિમા બતાવવા મેકલ્યા.
જૈન–શું ઈસુજ પ્રભુને દીકરે અને બીજાં માણસે નહી ?
ખ્રી –ના તેમ તે નહી. બીજાં માણસ પણ પરમેશ્વરના દીકરા તે ખરા.
જૈન–ત્યારે સર્વે મનુષ્યની માફક ઈસુ પરમેશ્વરના
For Private And Personal Use Only