Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 207
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ઉદ્યમથી હઠે છે, માટે ખરે જ્ઞાની જૈન, ઈદગીના છેલ્લા શ્વાસો છવાસ સુધી કર્તવ્ય કર્મ ઉદ્યમ કરે છે. તેના ઉદ્યમમાં તે આત્મશ્રદ્ધા, આશા અને ઉત્સાહથી મં રહે છે. કેઈ કાર્ય કરતાં લાખો વખત કોડા વખત નિષ્ફલ ગયા છતાં પણ તે આશાને ઉત્સાહને મૂકતો નથી, તેથી તે મડદાલ-દાસ–ગુલામ બનતું નથી. આત્મબળના વિશ્વાસી જૈને, કદાપિ નિર્બલ-મડદાલ બનતા નથી જ્ઞાની જેને, સાંસારિકવ્યાવહારિક કાર્યોમાં તથા ધાર્મિકકાર્યો કરવામાં કર્મના ઉદયની સાથે યુદ્ધ કરે છે. મેહરૂપ શયતાનની સાથે યુદ્ધ કરે છે અને આત્માની શક્તિ ફેરવીને આદર્શ કર્મ યેગી બને છે, તેઓ ન્યાયથી પ્રવર્તે છે. કેઈના ઉપર અન્યાય પક્ષપાતથી જુલમ ગુજારતા નથી. મેહરૂપી શયતાનના બલની બહારીને તે ખરી બહારી સમજતા નથી. તમારા નવા કરારમાં પણ “ ઈશુએ તરવારથી કોઈને માર નહીં ” વગેરે ઉપદેશ આપીને શયતાનીયત અધર્મ બલને ધિક્કાર્યું છે. જે જેને ધર્મા પરમાથે અપઈ જાય છે અને પોતાના દેહવિતાદિક મેહને લાત મારે છે અને ધર્મ કર્મો કરતાં મોહરૂપ શયતાનના તાબે થતા નથી તે પવિત્ર જૈન છે, એવા પવિત્ર જૈન સત્ય, દયા, અસ્તેય, અવ્યભિચાર વગેરે સદ્દગુણેના માર્ગે વળે છે અને હૃદયમાં આત્મારૂપ પ્રભુને પ્રગટાવતા જાય છે. તેમજ સેવાભક્તિ કર્મગ અને જ્ઞાનથી આત્મશુદ્ધિ કરતા જાય છે. સાંસારિક સમાજ સેવા, રાષ્ટ્રસેવા વગેરેમાં અાત્મભાવે અપાઈ જાય છે. તેઓ જે કંઈ કરે છે તે આત્માની શુદ્ધિ માટે કરે છે. તેઓ ખરેખણ ધર્મે યુદ્ધને કરીને સંસારમાંથી શયતાનના કાવાદાવાએને હઠાવીને આપોઆપ પ્રભુરૂપ બને છે. કમમેહરૂપ શયતાનના ફંદાઓને ઓળખીને તેઓથી બચી જવા સદા આત્મપગ ધારણું કરે છે. ગૃહસ્થ જેને પોતપોતાના ચોથા ગુણસ્થાનકના અને પાંચમા ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે વર્તે છે અને ત્યાગી સાધુઓ, સ્વધર્મના અધિકાર પ્રમાણે વર્તે છે. ખરેખરા જો, પ્રાણતે પણ જૈનધર્મને અને સ્વાધિકારકર્તકર્મરૂપ અને ત્યાગ કરતા નથી. કર્મને ઉદય, કર્મને ઉદય એમ કરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222