________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શ્રી જનધર્મ પ્રકાશ. વૈશાખ શુદિ ૧૧ શે ગૃહ, દિગ્ધાળ, અમિંગળિક, નંદાવર્તે તથા જ્ઞાન દર્શન ચારિત્રનું પૂજન શા, ત્રીભુવનદાસ ભાણજી પાસેજ કરાવવામાં આ વ્યું હતું. જેમાં ગૃહદિપાળ પૂજન ઘણું વિસ્તારથી કરવામાં આવ્યું હતું. આ વિધિ સવારથી શરૂ થયો હતો અને પાંચ છ કલાક ચાલ્યો હતો. વિધિ કરાવવા માટે ઘણું ગૃહસ્થોને આમંત્રણ કરેલા તે પછી થી છાણી છલ્લે વડોદરાવાળા શ્રાવક જમનાદાસ હીરાચદ પધાર્યા હતા. તેમની વિધિ કુશળતા સારી જણાતી હતી. સાથે પન્યાસજી ગંભીરવિજયજી પણ પોતાને યોગ્ય ક્રિયા કરાવવા માટે તમામ વખત બેસી રહેતા હતા. જેથી તમામ વિધિ અવિચ્છિન્ન અને શુિદ્ધ થતી હતી.
વૈશાખ શુદિ ૧૨ શુક્રવારે દૂરદેશથી લાવેલા જિનબિંબોને માટે અછાદશસ્નાત્ર તથા ધ્વજદંડને કળશની પ્રતિષ્ટા માટે તÈગ્ય સ્નાત્ર કરવાની વિધિ પ્રભાતમાંથી જ શરૂ કરવામાં આવી હતી, ૧૮ સનાત્રને માટે પ્રથ પૃથફ અનેક ઔષધીને શાસ્ત્રોકત રીતે સંગ્રહ કરી ખંડાવીને તેના પર બાંધી રાખ્યા હતા. તીર્થ જળ તરીકે ગંગાજળ તથા શત્રજયી અને સૂર્ય કુંડનું જળ મંગાવી રાખ્યું હતું કૃતિકાઓ અનેક પવિત્ર સ્થથી મંગાવી એકઠી કરી હતી. પ્રારંભમાં તમામ સામ પી એકઠી મેળવીને જળ ના નંબરવાર ૧૮ મોટાં પાત્રો ભરાવી તેમાં ક્રમવાર અરધી વિગેરે ભેળવી દીધું હતું. પછી યોગ્ય સમયે સ્નાત્ર કરવાનું કામ શરૂ થયું હતું. એક સાન થે બહાર ગામથી લાવેલા તમામ જિન બિબો ઉપર તથા ધ્વજદંડને કેળશે. ઉપર અભિષેક કરવા માટે જુદા જુદા સ્નાત્રીઓ નીમી દીધા હતા. તે સંબંધમાં ઉપજ પણ સારી થઈ હતી. સ્નાત્ર ક્રિયા પૂરી થયા બાદ ધ્વજદંડ ને કળશની પ્રતિષ્ઠાનું કામ શરૂ થયું હતું. ધ્વજદંડના મસ્તક પર પાઘડીઓ બંધાવવામાં આવી હતી અને સુશોભિત દવાઓ પણ શિખાતરિકે બાંધી લીધી હતી. કળશોને પણ પાઘડીઓ બંધાવી હતી. તેની પ્રતિષ્ઠા કરવાની ક્રિયા પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ કરી હતી, ત્યારબાદ બધા ધ્વજને જિનમંદિર ફરતી ત્રણ પ્રદક્ષિણાઓ કરાવી હતી.
તેજ દિવસે રાત્રીએ ચિત્યપ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી. બે દેરાસરજી માટે બે સેવન કાષ્ટના પટ ઉપર કુર્મને આલેખ અષ્ટગંધવડે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ચિત્યની અંદર ફરતે કુમારિકાએ કાંતેલ સૂચનો ૨૧ તારનો દોર વીંટી લેવામાં
For Private And Personal Use Only