________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રી જનધર્મ પ્રકાશ, “તે કહે છે કે-હુ ખાતે ખાતે માર્ગે ચાલતું નથી, હસતા હસતા બોલતા નથી, ગઈ વસ્તુને શોક કરતો નથી, કોઈ પણ કાર્ય મેં કહ્યું એમ માન નથી અને બે જ વાત કરતા હોય તેમાં ત્રીજે થતું નથી તે એવું શું કારણ છે કે જેથી હું મૂખ ગણાઉં? અર્થાત મૂખ ગણાવાનું આ કરતાં બીજું કોઈ પણ કારણ નથી.” આ કારમાં ગઈ વસ્તુનો શેક કરે એ પણ એક કારણ મૂખે ગણવાનું ગણેલું છે. વિચારે કે નીતિમાં પણ જે મૂર્ખ ગણાય તે ધર્મ સંબંધમાં કેમ ન ગણાય ? માટે એવે પ્રસંગે તે ગઈ વસ્તુને અર્થાત વિનાશ પામેલી વસ્તુને શોક ન કરે એજ ઘટિત છે. તે સાથે એવી બાબતમાં પોતાના પૂર્વકૃત કર્મ શિવાય બીજા કોઈ ઉપર આક્ષેપ કરવે નહીં. કેમકે બીજું કઈ હાની કે લાભ કરી શકતું જ નથી. હાની કે લાભ થાય છે તે પિતાના કવડે જ થાય છે, બીજાઓ તે તેમાં માત્ર નિમિત્ત કારણુજ બની શકે છે. તેમાં પણ વળી ધર્મને કાર્ય ઉપર તે સમતિ દષ્ટિ જીવે પ્રાણાંતે પણ આક્ષેપ કરવે નહીં. ધર્મ કરણ તો આ પ્રાણીને આભવને પરભવમાં હિતકારકજ થાય છે. જે જળમાંથી અગ્નિ ઉઠે અને બાવનાચંદન પરિતાપ ઉપજાવે તોજ ધર્મકરણીથી હાની થાય એમ સમવું અર્થાત હાનીજ ન થાય એમ માનવું. આ બાબતમાં તાત્કાળિક ઉશ્કેરાઈ જાય એવા હૃદયવાળા જૈન બંધુઓએ બહુ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આવી બાબતમાં જેમ તેમ બોલી જવાથી પિને જ ન શાસનની હીલન કરાવનાર થાય છે. બીજાઓને પણ તે ઉપરથી જ બલવાને કારણ મળે છે અને પછી વાતે વાત વૃદ્ધિ પામે છે. ચાલતા પ્રસંગમાં પણ એવીજ રીતે બનેલું શ્રવણ ગોચર થાય છે તેથી જૈન બંધુઓ પ્રત્યે અમારી પ્રાર્થના છે કે આવી બાબત મહા કર્મ બંધ કરાવનારી શાસ્ત્રાકારે કહેલી છે તેને ધ્યાનમાં રાખીને પિતાના શબવડે જન શાસનની હિલના કરવાનું કે બેલવાનું કોઈને કારણ ન મળે તેવી સાવચેતી રાખવી અને ધર્મકરણી ના સંબંધમાં યત કિંચિત પણ હાની થવા સંભવની શંકાને હૃદયમાંથી દૂર કરવી. જેથી તમારા આત્માનું હિત થશે અને અહિત થતું અટકશે.
પાલીતાણા દરબાર અને જેને. પાલીતાણા દરબારની સાથે શ્રાવકવર્ગને ઘણા વર્ષોથી અનુચિતપણું ચાલ્યું આવે છે. તેમાં મધ્યસ્થ વૃત્તિએ વિચારતાં ત્યાંના દરબાર કરતાં તેના
For Private And Personal Use Only