Book Title: Hindusthanno Arvachin Itihas Part 03
Author(s): Champaklal Lalbhai Mehta
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 686
________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 669 ઇંગ્લંડની સરકારની પણ ઘણું સખત ઝાટકણી કરી. તેણે જાહેર કર્યું કે, સરકારે યોગ્ય વખતે પિતાનું કર્તવ્ય કર્યું હતું, તે આજે આ વાદવિવાદમાં પાર્લામેન્ટને વખત નકામે જતે નહીં. આ અપ્રાજક તથા અનવિશ્યક હલ્લાને લીધે કલાઈવે કંપનીના એકેએક સભાસદોની જ નહીં પણ સરકારી પક્ષનાં માણસોની પણ દુશ્મનાવટ પિતા ઉપર હેરી લીધી. વાત ગમે તેવી ખરી હોય તે પણ અધિકારથી સજ થયેલા ગ્રહસ્થને તે જણાવતી વખતે ઘણુ ચાલાકી રાખવી પડે છે. કોઈને પણ પોતાની ભૂલ સાંભળવા ગમતું નથી. - એ દિવસથી કલાઈવની હેરાનગતી શરૂ થઈ. મેકોલેની ઉત્તમ લેખણથી લખાયલો ગાળોથી ભરેલો લેખ કલાઈવનાં હવે પછીનાં વર્તન ઉપર થી સૂચવાયે હશે. સલિવાનનું બીલ પસાર કરવા પહેલાં પાર્લામેન્ટ હિંદુસ્તાનના વહિવટની તપાસ કરવા માટે એક કમિટી નીમી. જુદાં જુદાં માણસેએ અઢળક દેલત કવી રીતે પેદા કરી હતી તે બાબત આ કમિટીએ પ્રથમ તપાસ ચલાવી સને 1757 થી કલાઇવનાં સઘળાં કામની તેણે તપાસ લીધી. સઘળાને ડોળો એના ઉપર હેવાથી એ તપાસણી ઘણી સખત અને બારીકઈથી ચાલી. પ્રત્યેક બાબતમાં તેને કંઈ અંતસ્થ સ્વાર્થને હેતુ હતું, એવું બતાવવાને તેના શત્રુઓએ પ્રયત્ન કર્યા. કમિટીના ઘણું ખરા સભ્યો લાઈવના વિરોધી હોવાથી, તેના શત્રજ ન્યાયાધીશ થયા હતા એમ કહેવામાં હરકત નથી. તેણે અત્યંત ધીરજથી તથા ગંભીરાઈથી દરેક કામમાં ઉત્તમ પ્રકારને બચાવ કર્યો. આખરે કમિટીનો રીપોર્ટ છપાઈ પાર્લામેન્ટ આગળ તેમજ પ્રજા આગળ રજુ થતાં લાઈવનાં અને બીજાઓનાં અપકૃત્યે જાહેરમાં આવ્યાં, અને તેની સાથેજ કેર્ટ એક ડાયરેકટર્સ રાજ્ય કારભાર ચલાવવા અત્યંત નાલાયક છે એવી સઘળાની ખાતરી થઈ. કલાઇવ વિષે કંઈ નવી વાત પ્રસિદ્ધીમાં આવી નહીં જે વાત તેણે જાતે અગાઉ લેકીને જણાવી હતી તે જ સઘળી બહાર આવતાં જાણકાર લેકને તેને માટે સારો અભિપ્રાય થયો. રાજાએ સુહા તેઓ સત્કાર કરી તેને “નાઈટ ઓફ ધી બાથ” ને કાબ આપો, સને

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722