Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 98
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB મહામાનવ બન્યો હોય, ક્યારેક જીવનમાં પણ પરિવર્તન આવી શકે છે. ગમે તેટલું કરીએ પરંતુ વિધિની વક્રતા (Destini) આવે જ છે. દા.ત. બુદ્ધના જીવન માટે અસિતમુનિએ ભવિષ્યવાણી કરી હતી કે કુમાર એ વૈરાગ્યદશાને વરશે. માટે તેના પિતા શુદ્ધોધન એને મહેલમાંથી ક્યારેય બહાર જ નથી કાઢતા અને મહેલમાં જ સુખ-સગવડ પૂરી કરતા હતા, પરંતુ આ તો વિધિની વક્રતા છે. એક વખત દિવીતત્ત્વોથી સારથિના લીધે કુમારને ત્રિવિધ દશ્ય (મૃત, વૃદ્ધ, રોગી)નું દર્શન થયું અને હૃદયમાં અનાસક્તિ ઉત્પન્ન થઈ અને વૈરાગ્યની અવસ્થાને પામ્યા, આ છે પરિવર્તન-વિધિની વક્રતા. આમ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આ રીતે આવે છે. ધર્મ-અધ્યાત્મ માર્ગે પણ વ્યક્તિ પરિવર્તન સાધી શકે છે. પરિવર્તન કરનારાં તત્ત્વો આ મુજબ છે : ધર્મ-અધ્યાત્મ 'ઇત્યાદિ #SWeek@S ગુરુ-ગ્રંથ મહિમા %% 69%6eg#ga પણ ન નીકળે.' આમ સમ-ભાવની જે સ્થિતિ છે : જળકમળવત્. કમળ ભલે કાદવમાં ઊગે છે પરંતુ તે કાદવમાં લિપ્ત થતું નથી. તેવી રીતે સંસારમાં રહીને પણ શારીરિક-માનસિક શુદ્ધિ વિશે જાગ્રતતા કેળવવી જોઈએ અને આ પરિવર્તન આણવા શક્ય બને છે. આ બધાં પરિબળોથી જેમ કે, ગ્રંથ, ગુરુ, મંત્ર, સ્તોત્ર, સપુરુષ ઇત્યાદિ... સૌ પ્રથમ તો સન્દુરુષ વિશે જોઈએ, જેનાથી કહી શકાય છે કે એમના સક્નિકર્ષથી જીવનમાં કંઈ પલટો આવ્યો હોય. જેવી રીતે સૂર્યના પ્રકાશથી પૃથ્વી પરનો અંધકાર નષ્ટ થાય છે તેવી રીતે સત્પષના સંગથી જીવનનો અંધકાર પણ નાશ પામે છે. કહી શકાય કે, “આપણે ગ્રંથોમાં છે તે બોલીએ છીએ પણ સંત જે બોલે છે તેનો ગ્રંથ બની જાય છે. આ રીતે સત્પરપના સમાગમથી અનેકાનેક ભવસાગર પાર કરી ધર્મ અને અધ્યાત્મિકતામાં પરિવર્તન લાવનાર છે. દષ્ટાન્તો જોઈએ તો સૌ પ્રથમ વાત કરીએ આપણે આદ્યગુરુ શંકરાચાર્યની જ. એમના ગૌડપદાચાર્યના સમાગમથી એમના જીવનનો વળાંક કેવો અદ્દભૂત આવ્યો જેને આપણે આટલાં વર્ષો પછી વેદાંતનું પાનું ખોલતાં જ શંકરાચાર્ય તરીકે કે જેમણે સિદ્ધાંત આપ્યો. (ખ સત્ય નાત મધ્ય) એમના તરફ નતમસ્તક થઈ જવાય. જેમનું માત્ર ૩૨ વર્ષની વયમાં જ નિધન થયું, પરંતુ એમનું સાહિત્ય તો જુઓ, ગૌરવ થાય આનાથી. જવલંત સત્પષ માટે અન્ય કયું ઉદાહરણ લઈ શકીએ ! સત્પષનો ક્યારેક સમાગમ થાય તો, ક્યારેક આપણને કોઈ સામાન્ય વ્યક્તિ તરફથી આપણને જે ઠપકો પણ મળે અને આપણા જીવનની દિશા જો ઉર્ધ્વગામી બની જાય તો એ પણ આપણા માટે પુરુષ જ છે. ઉદાહરણ લઈએ કવિ કાલિદાસનું - દંતકથા પ્રમાણે આપણને માહિતી મળી છે કે, તેમનાં લગ્ન પ્રિપંગમંજરી સાથે કપટતાથી કરાવવામાં આવ્યાં. એમને પછી ખ્યાલ આવે છે કે કાલિદાસ તો મુર્ખ છે અને પત્ની કાલિદાસને ઘરમાંથી કાઢી મૂકે છે. થોડા દિવસ પછી કાલિદાસ કાલિની ઉપાસનાથી જ્ઞાનને વરે છે. પુન: ઘેર આવે છે, ત્યારે પત્ની બંધબારણે જ પ્રશ્ન કરે છે કે, ગત #fટ વાવો અર્થાત્ 'તમારી વાણીમાં શી વિશેષતા છે ?' આમ કાલિદાસે તરત જ ગતિથી કુમારસંભવ, થી મેઘદૂત વીર રઘુવંશની રચના કરી. આમ જુઓ તો કદાચ એમને ઠપકો ન આપત તો શું એ કવિકુલગુર કાલિદાસ આપણને મળત ? કારણ કે ઠપકો તો 'સ્તોત્ર સપુરુષ આ રીતે પરિવર્તન શક્ય બને છે. ધર્મ અને અધ્યાત્મ એક સિક્કાની બે બાજુ છે. ધર્મ શબ્દનું ઘૂ - ધારણ કરવું એવો અર્થ થાય છે. આ ધર્મતત્વને મારા શબ્દોમાં કહું તો ‘કદમ પHIક્ષ્મ'ની સ્થિતિ તો ખરી “હું બ્રહ્મ છું.' આમ ‘હું માં પણ અહંકાર છે. એનો પણ ત્યાગ એ મહત્ત્વનું છે. પ્રભુ સાથે તાદાત્મયનો તાર બંધાય એવી સ્થિતિ.... ગૌતમ બુદ્ધે કહ્યું છે ને, ‘તારી વીણાના તાર એટલા ખેંચીશ નહીં કે તૂટી જાય અને એટલા ઢીલા પણ ન રાખીશ કે એમાંથી સ્વર -૧૮૮

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136