________________
નમૂનાનાં અધિકારણે
૧. કર્તા-અધિકારણે અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. ૨-૧૦-૧૮૭૭ – અવ. ૨૬-૬-૧૯૭૨ ]: સંપાદક. રાજકોટમાં જન્મ. માતા નિર્ભયકુંવર. જ્ઞાતિએ વડનગરા નાગર. વડોદરાથી ૧૮૯૮માં બી. એ. થઈ ૧૮૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી ૧૯૦૬થી ૧૯૭૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછીથી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દસકા દરમ્યાન, પછીથી ક તથા એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી, મહિલા કોલેજની સ્થાપના અને તેનું સંચાલન.
આજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા અંજારિયા વ્યાપકપણે ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય-પદ્ય કૃતિઓનાં સંપાદન આપતા રહેલા. આ સંપાદનેમાં દેશભક્તિનાં કાવ્યો' (૧૯૦૩ / ૧૯૦૫), “કવિતાપ્રવેશ' (૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતે સહિતની પ્રચલિત ગુજરાતી ગેય રચનાઓને સંચય “સંગીતમંજરી' (૧૯૦૯), બાલકાવ્યોને સંચય મધુબિન્દુ' (૧૯૧૫), “પદ્યસંગ્રહ' (૧૯૨૦), “સાહિત્યપ્રવેશિકા' (૧૯૨૨), તેની ૧૯૪૩માં કરેલી શાલેય આવૃત્તિ “સાહિત્યપ્રારંભિકા', “કાવ્યમાધુર્ય (૧૯૩૦), “ગપ્રવેશ : ૧-૨' (૧૯૩૧-૩૨), “પઘપ્રવેશ' (૧૯૩૨), “કાવ્યસૌરભ' (૧૯૪૯) વગેરે સાહિત્યરસિકોની વાચનરુચિ માટે તેમ જ વિદ્યાથીઓને પૂરક વાચન માટે સહાયક બનેલાં છે. એ સૌમાં ૧૯મી અને ૨૦મી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગવની ગોલ્ડન ટ્રેઝરી'ની બધાટીએ થયેલું સંપાદન “કાવ્યમાધુર્ય' (૧૯૩૦) નોંધપાત્ર બને છે, જ્યારે વીસમી સદીના પૂર્વાર્ધની ગુજરાતી કવિતાનું પ્રતિનિધિત્વ કરતું “કાવ્યસૌરભ (૧૯૪૯) તુલનામાં નબળું ઠરે છે. ઉપર્યુક્ત સંપાદનેમાંના અભ્યાસલેખોમાં એમની કાવ્યરુચિ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુક્ત ગદ્યને પરિચય મળે છે. આ સંપાદન ઉપરાંત એમણે કાલિદાસકૃત નાટક “વિકમર્વશીયમને અનુવાદ (૧૯૦૬) પણ કર્યો છે.
ગુજરાતી કવિતા અને સાહિત્ય ઉપરાંત એમણે ઇતિહાસ, ભૂગોળ, સ્ત્રીશિક્ષણ તથા બાળઉછેર જેવા વિષયોને આવરી લેતી કેટલીક પુસ્તિકાઓ પણ લખી છે.