Book Title: Devkulpatak Author(s): Vijaydharmsuri Publisher: Abhaychand Bhagwandas Gandhi View full book textPage 7
________________ (3) આવે છે, તે ભાગમાં ઘણાં મંદિરે હેવાથી, હેને દેવકુલપાટક (દેલલવાડે) કહેતા હયપશ્ચાત્ કાળક્રમે ગામને માટે ભાગ નષ્ટ થઈ ગયો હોય અને શેષ રહેલો ભાગજ “દેલવાડા” એ ગામ તરીકે ગણા હેય. આજ વાતની પુષ્ટિમાં એક એ કારણ પણ મળે છે કેઆ ગામથી 4 માઈલ પર એક નાગદા (નાગહદ) નામક ન્હાનું ગામડું છે. (મ્યાંથી 18 નંબરને શિલાલેખ લેવામાં આવ્યો છે.) કહેવાય છે કે-આ ગામડું પહેલાં આ ગામની એક પિળ-મહોલ્લા તરીકે હતું. અસ્તુ! પંદરમીસેળમી અને છેવટે સત્તરમી શતાબ્દિ સુધીમાં આ ગામ પૂર જાહોજલાલીપર હતું, એમ અહિંથી મળેલા શિલાલેખ અને પ્રાચીન પુસ્તકમાં આપેલા વર્ણને ઉપરથી માલુમ પડે છે. આ સિવાય તે સમયમાં, અહિં જેનેની બહોળી વસ્તી હશે, એમ અહિં થએલી પ્રતિષ્ઠાઓ બતાવી આપે છે. મંદિર (દેરાસર) પણ વર્તમાનમાં છે એટલાંજ નહિં, પરંતુ ઘણુંજ હતાં, એવી કલ્પના અને હિંનાં ખડેરે કરાવે છે. અત્યારે માત્ર ત્રણે મંદિરે (જેને વસહી કહે છે) અખંડ વિદ્યમાન છે. કહેવાય છે, કે-અહિં પહેલાં ત્રણ ઘટને નાદ (શબ્દ) સંભળાતે હતે. આચાર્યશ્રીસેમસુંદરસૂરિ, જેઓ પંદરમી સદીમાં થયા છે, ઘણી વખત આ નગરમાં પધાર્યા હતા, એમ સેમસૈભાગ્ય કાવ્ય” ઉપરથી, તેમ તેમની કરાવેલી પ્રતિષ્ઠાઓના મળેલા શિલાલેખે ઉપરથી જણાઈ આવે છે. 1 અત્યારે જે ત્રણ મંદિરે છે, તે પૈકીનાં બે મંદિરમાં પહેલાં ત્રણ ત્રણ પ્રતિમાઓ હતી. પરંતુ તે ખંડિત હતી. સંવત્ ૧૯૫૪માં હારે પ્રતિમાએ જમીનમાંથી નિકળી, વ્હારે સ્થાપિત કરી. બધી મળીને 124 પ્રતિમાઓ નિકળી હતી. આ પ્રતિમાઓ સંવત 1962 ના વૈશાક શુદ 2 ના દિવસે પ્રતિછાપિત થઈ હતી. તે પહેલાં સંવત 1921 ની સાલમાં પણ 72 પ્રતિમાઓ નિકળી હતી.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38