________________ (22) घटितं सूत्रधार मदन पुत्र धरणावीकाभ्यां // आचंद्रार्क નિંદ્યાન શ્રી મા " આ લેખ દેલવાડાની પાસે જે નાગદા છે, ત્યાં શ્રીઅદબદજી (શાંતિનાથ) ની મૂર્તિ નીચે છે. (1) નાગદા. આ ગામ દેલવાડાની પાસે આવેલા એકલિંગજીના ડુંગરની તળેટીમાં આવેલું છે. વર્તમાનમાં તદ્દન ઉજજડ સ્થિતિમાં છે. અહિં લગભગ એક માઈલના વિસ્તારમાં ઘણાં મંદિરનાં ખંડેર અને મૂર્તિઓનાં ચિદષ્ટિ ગોચર થાય છે. અહિં એક અદબદજીનું મંદિર છે. આ મંદિરનો પણ માત્ર ગભારો જ બાકી રહ્યા છે. બાકીને ભાગ પડી ગયેલ છે. ગભારામાં શાન્તિનાથ પ્રભુની મૂર્તિ છે, તે ઉપરજ આ (18 નંબરને) લેખ છે. આ મંદિરની બાજૂમાં નજીકની જમીન ઉપર ત્રણ મૂર્તિઓ છે, કે જેહેની નીચે લેખો પણ છે. પરંતુ તે એટલા બધા જીર્ણ છે કે-વાંચી શકાતા નથી. મહામુસીબતે બે લેખો વાંચી શકાય છે, તે ઉપરથી જણાય છે કે તે મૂર્તિઓ કુંથુનાથ અને અભિનંદન સ્વામીની હશે. આ નાગહદ, પહેલાં એક જૈનતીર્થ હતું, એમ જુદા જુદા સમયમાં બનેલી તીર્થમાળાઓમાં આવેલાં નામ ઉપરથી જણાય છે. જૂઓ શ્રીમાન મે, પોતાની તીર્થમાળામાં નામ આપ્યું છે, હેવીજ રીતે મુનિરાજ શીલવિજયજીએ, સં. 1746 માં બનાવેલી તીર્થમાળામાં પણ આ પ્રમાણે આપ્યું છે - ના િવ તીવિનીત” આવી જ રીતે જિનતિલકસૂરિએ પિતાની તીર્થમાળામાં કહ્યું છે - “ના િવાસ તૂ ની છૂટિ” અહીંના આ પાશ્વનાથનું અને નેમીનાથનું વર્ણન ઘણે સ્થળે જોવામાં આવે છે. મુનિસુંદરસૂરિવિરચિત ગુર્નાવલીમાં કહ્યું છે" खोमाणभूभृत्कुलजस्ततोऽभूत् समुद्रसूरिः स्ववशं गुरुयः / चकार नागह्रदपार्श्वतीर्थ विद्याम्बुधिर्दिग्वसनान् विजित्य // 36 // (10 વિ. માં છપાયેલ પુ. 4)