Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ પ્રકાશિત થએલી. એમાં એમણે સુરુચિન ભંગ કરતી અને તર્કને અસંગત એવી અનેક ધાર્મિક પ્રક્રિયાઓની આલોચના કરી. પરિણામે સમાજ સાથે એમને અથડામણમાં આવવું પડ્યું. આ એમની લેખનપ્રવૃત્તિને પ્રારંભ ને સુધારક વૃત્તિના આવિષ્કારને શુભારંભ હતા. ત્યાર પછી તે મૃત્યુ પર્યત એમણે શુદ્ધતા અને સુધારાના આગ્રહ માટે ઝઝૂમ્યા કર્યું. પરંતુ એમને આ વ્યવહારમાં ડંખ કે દેષ મહેતા, કયાંય અવિચાર કે આંતક નહતા, કયાંય દંભ કે દુ:સાહસ નહોતાં, ક્યાંય સ્વાર્થ કે સત્તાશેખ નહતા. વ્યાપક પ્રેમભાવના પર મંડાએ આ તે હો વિશુદ્ધ જીવનવ્યવહાર. અભ્યાસકાળના અંત સમયે વાંચવામાં આવેલી ચાર્લ્સ મેકેની આ કાવ્યપંક્તિઓ એમના વિચારમાં જડાઈ ગઈ હતી અને વ્યવહારમાં વણાઈ ગઈ હતીઃ “ You've never turned the wrong to right, You've been coward in the fight.” (અન્યાયોના કરે ને ન્યાય, ખરે યુદ્ધ-ભીરુ કેવાય. ) અસત્ય-અન્યાયના પ્રતિકારને એમણે જીવનધર્મ તરીકે સ્થાપે. પ્રતિકાર-શૂન્ય સાધુતા કેવળ નિર્માલ્યતાની નિશાની છે” એ હતું એમને જીવનમંત્ર. આ પ્રેરણાથી એમણે ઈ. ૧૯૨૮ના નવેમ્બર માસમાં, શ્રી રતિલાલ કોઠારીની આગેવાની નીચે, “શ્રી મુંબઈ જૈન * યુવક સંઘ'ની સ્થાપના કરી. એ સમાજને સડવી રહેલી જૂનવાણી વિચારણા અને તર્કવિહીન બાલદીક્ષા સામે, જૈન સમાજની સ્થિતિ ચુસ્તતા અને રાષ્ટ્રવિષયક ઉદાસીનતા સામે, જન સાધુઓની નિષ્ક્રિયતા, પાખંડ અને પામરતા સામે, આ સંઘના આશ્રયે, યુવાન પરમાનંદભાઈએ બંડખોર કહી શકાય તેવું આંદોલન ચલાવ્યું. ધર્માર્થે મળેલ દ્રવ્યને સમુચિત ઉપગ, સ્ત્રી-પુરુષ સમાનતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 332