Book Title: Buddha ane Mahavira Author(s): Kishorlal Mashruvala Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 5
________________ પ્રકાશકનું નિવેદન સ્વ. કિશોરલાલભાઈનું આ પુસ્તક નવજીવને પહેલું ઈ સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ કરેલું. ત્યાર પછી તેમણે એમાં સુધારા કર્યા હતા અને તેની સુધારેલી બીજી આવૃત્તિ ૧૯૨૯ભાં પ્રસ્થાન કાર્યાલય તરફથી બહાર પડી હતી. અને ત્યાર બાદ ૧૯૩૭માં ત્રીજી આવૃત્તિ બહાર પડી હતી. તે પછી એમ વિચાર કર્યો કે, આ રીતે બીજેથી પ્રસિદ્ધ થયેલી એમની બધી ચેપડીઓ એક જ જગાએથી નવજીવનમાથી બહાર પડે એ સારું છે. આ ચેપડીની નકલો હવે સિલક રહી નથી. એટલે તેનું પુનર્મુદ્રણ કરવું જોઈએ. આ પ્રમાણે, તે હવે નવજીવન તરફથી બહાર પડે છે. શાળાઓમાં ઈતર વાચન તથા ભણતા પ્રૌઢના વિશેષ વાચનમાં એ ખૂબ ઉપયોગી નીવડશે. સામાન્ય વાચકે પણ આ વાંચવા જેવો પ્રબંધ છે. શ્રી કિશોરલાલભાઈ મેટા વિચારક હતા, સાધક હતા. કઈ દૃષ્ટિએ તેમના જેવા ધર્મપરાયણ પુરવ આપણા બે અવતારી મહાપુરુ, બુદ્ધ અને મહાવીરને આરાધતા એ, આથી કરીને સમજવા જેવી બાબત ગણાય. તેથી આ પુસ્તક ધર્મજ્ઞાન માટે સામાન્ય વાચન તરીકે પણ ઉપયોગી નીવડશે એવી આશા છે. ૨૩-૧૧–૧૧Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 122