Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 55
________________ ૪s બોધસાર સમાજમાં સુવ્યવસ્થા અને શાંતિની સ્થાપના થઈ શકતી નથી. અમુક સારા નિયમો, અમુક સુંદર જીવનરીતિઓને અપનાવ્યા વિના જો સમાજ પણ અંધાધૂંધી, ક્લેશ, અશાંતિ અને અવ્યવસ્થારૂપ થઈ જાય તો વ્યક્તિગત સ્તરે તેમ વર્તવાનું શું ફળ થાય તેનો આપણે વિચાર કરવો ઘટે. આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો કૌટુંબિક કે સામાજિક સ્તરે જે સાચું છે તે વ્યક્તિગત સ્તરે પણ સાચું છે. મનના ઘોડાઓને કે ઈન્દ્રિયોની લગામોને સર્વથા છૂટાં મૂકીને મનમોજી રીતે વર્તવાથી કોઈ પણ વ્યક્તિ ખરેખર સુખી થઈ શકતી જ નથી. ગમે તે ન્યાયથી તોલો, દુરાચારી દુઃખી જ છે કારણ કે તેનું અંતર અશાંત છે, આકુળ-વ્યાકુળ છે, ભયભીત છે અને અતૃપ્ત છે. માટે આપણે નિર્ણય કરવો જોઈએ કે સ્વચ્છેદે વર્તવાથી આપણે સુખશાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. હવે જો સ્વચ્છેદ દુઃખદાયી છે એમ નક્કી કર્યું છે તો તેનો નિરોધ કઈ રીતે થઈ શકે તે વિચારવું સ્વાભાવિક રીતે જ આવશ્યક થઈ પડે છે. આના માટે આવશ્યક્તા છે સવિવેકપૂર્વકના વર્તનની. વર્તમાનકાળના કે પ્રાચીનકાળના જે મહાત્માઓએ સુખશાંતિ પ્રાપ્ત કર્યા છે, તેમના ન્યાયયુક્ત વચન પ્રમાણે વર્તવાથી અને જ્યાં સંભવ હોય ત્યાં તેમનો સમાગમ કરવાથી ધીમે ધીમે મનુષ્યમાં એક વિકાસલક્ષી પરિવર્તન આવે છે, જેથી તેના જીવનમાં અનેક સાત્વિક ગુણો પ્રગટે છે. આ પ્રમાણેની દશા પ્રગટ થતાં તે મનુષ્યમાં ઉત્તમ એવા આત્મતત્ત્વની શ્રદ્ધા અને બોધ સુદૃઢ થાય છે અને જેમ જેમ આત્મશ્રદ્ધા અને આત્મબોધ સુદૃઢ થતાં જાય છે તેમ તેમ સ્વચ્છંદ ઘટવા માંડે છે. આમ, અનાયાસ અને સહજપણે, સ્વચ્છંદનો નિરોધ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82