________________
૧૧૬
ભકિતમાર્ગની આરાધના છે. અધ્યાત્મજ્ઞાન આમાં મદદરૂપ બને છે, ને ધીમે ધીમે પરમાત્મસ્વરૂપમાં લીન થવાની કેડીએ પ્રગતિ કરી શકાય છે.
આનંદઘનજી એમ માનતા હતા કે મનને વશ કરવાથી મુક્તિ મળે છે. શુભાશુભ અધ્યવસાયેનું કારણ મન છે, અને આ અધ્યવસાયેનું પરિણામ કર્મબંધન છે. મનમાં ઉદ્દભવતા રાગાદિ અધ્યવસાયે જે ટળે તે આત્મા પરમાત્મારૂપ થાય. વળી તેઓ પ્રતિમાપૂજાને આવશ્યક ગણતા હતા. તેઓશ્રી કહેતા કે સાકારનું ધ્યાન કર્યા પછી નિરાકાર ધ્યાનની યેગ્યતા આવે છે. આત્માના પરિણામની ચંચળતાને તેઓ ભય ગણાવતા અને તેને ત્યાગ કરી આત્માના સ્થિર પરિણામ કરવા તે જ અભય છે, તેમ ઉપદેશતા.
આનંદઘનજીકૃત વીશીમાં તીર્થકરના ગુણેની સ્તુતિ કરવામાં આવી છે. આ વીશીની રચના પ્રભુભક્તિની આંતરિક સરવાણીઓ ફૂટતાં થયેલી છે અને તેથી તે હદયંગમ બને છે. પ્રભુની સમક્ષ વિવિધ રૂપે કેવી રીતે સ્તવના કરી શકાય તે તેમાં બતાવેલું છે. જેમ કે, પ્રભુની આગળ પિતાના દેષને પ્રકટ કરી પ્રભુની ક્ષમા યાચવી તેને સ્વદેશપ્રકટન-સ્તવના કહેવામાં આવે છે. તેમના કહેલા ઉપદેશ વડે પ્રભુની સ્તુતિ કરવી તેને ઉપદેશસ્તવના કહેવાય છે. તેમનાં પદોમાં તેમના આંતરિક ગુણ વિકાસની આપણને ઝાંખી થાય છે. દા.ત., સાતમાં પદમાં યેગને અનુભવ વર્ણવીને ગજ્ઞાનને પરિચય આપે છે. આઠમા પદમાં સુમતિ ઈત્યાદિ પાત્ર વડે સ્વાનુભવથી આત્મજ્ઞાનને પ્રગટ વાચા આપી છે. દશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોના માધ્યમથી સ્વાનુભવને શબ્દાંક્તિ કરેલ છે.
તેમને અંતિમ ઉપદેશ ખરેખર મનનીય છે. મેડતામાં તેમના નામની એક દેરી છે તે પરથી અનુમાન થાય છે કે તેમને દેહોત્સર્ગ મેડતામાં થયેલ હતું. તેમના ઉપદેશને સાર એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org