________________
૧૫
ટિપ્પણ ૧ નંદીકલ
આ અધ્યયનમાં નંદીકલને દાખલો આપીને હકીકત કહેવામાં આવેલી છે માટે તેનું નામ નંદીફલ પડયું છે. ૨? અહિચ્છત્રા
એક અઢારમા સૈકાના જૈનયાત્રીએ અહિચ્છત્રા આગ્રાથી ઈશાન ખૂણામાં કુરુજંગલના પ્રદેશમાં હોવાનું જણાવ્યું છે. બીજા જેનયાત્રીએ અહિચ્છત્રાને પાર્શ્વનાથનું તીર્થ કહ્યું છે અને તે મેવાત દેશમાં હોવાનું જણાવ્યું છે. જિનપ્રભસૂરિએ પિતાને તીર્થકલ્પમાં અહિચ્છત્રાની ઉત્પત્તિ આ પ્રમાણે બતાવી છે : “જબુદ્દીપના ભારતવર્ષમાં, મધ્યમખંડમાં, કુરુજંગલ દેશમાં શંખાવતી નામે નગરી હતી. ત્યાં પાર્શ્વનાથસ્વામી ફરતા ફરતા આવ્યા અને ધ્યાનમાં રહ્યા. પૂર્વના વેરી કમઠે તેમને પાણીને ઉપસર્ગ કર્યો. અર્થાત એટલી બધી વૃષ્ટિ કરી કે ભગવાન કંઠ સુધી પાણીમાં ડૂબી ગયા. પછી ભગવાનના ભક્ત ધરણ નાગરાજે પિતાની પટ્ટરાણીઓ સાથે ત્યાં આવીને હજારે ફણાવાળું છત્ર ભગવાનને માથે ધયું, અને કમઠે કરેલા ઉપસર્ગનું નિવારણ કર્યું. ત્યારથી તે શંખાવતીનું નામ અહિચ્છત્રા પડયું.”જિનપ્રભસૂરિ કહે છે કે, “અત્યારે ત્યાં એક ઈંટનો કિલ્લો દેખાય છે અને પાણીના સાત કેડે છે. તે પુરીની બહાર અને અંદર સવાલાખ મીઠા પાણીના કૂવાઓ અને વીથિકાઓ છે. હરિ, હર, હિરણ્યગર્ભ અને ચંડિકાનાં ભવને ને બ્રહ્મકુંડે વગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે.” આજકાલ બરેલી જિલ્લામાં એઓનલા નામનું ગામ છે. ત્યાંથી આઠ માઈલ ઉત્તરે રામનગર છે. ત્યાંથી
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org