Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 248
________________ અદયયન-૧૭ ૨૨૧ ત્રણસો પાંડ થયા છે, હજારે દ્રોણાચાર્ય થયા છે અને કર્ણની તો સંખ્યા જ નથી. આમ કહીને હેમાચાર્યો કુમારપાળને કહ્યું કે આમાંના કેઈ જૈન પાંડવો શત્રુંજય આવ્યા હશે અને બીજા કેઈ પાંડે હિમાલય ઉપર પણ ગયા હશે. એમ પ્રભાવક ચરિત્રમાં હેમાચાર્યના પ્રબંધમાં લખેલું છે. દ્રૌપદીનું આખ્યાન મહાભારતમાં આવે છે અને જૈન પાંડવચરિત્રમાં પણ તેને મૂકેલું છે. આમાંથી કર્યું મૂળ અને કહ્યું મૂળ ઉપરથી આવેલું તે કલ્પવું કઠણ છે. પણ એમ લાગે છે કે ઘણીવાર પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓને દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મની વ્યક્તિ તરીકે ગણાવવા પ્રયત્ન કરે છે. બુદ્ધ વેદવિરોધી હોવા છતાં તેમની એટલી બધી પ્રસિદ્ધિ થયેલી કે વૈદિક પરંપરાને તેમને અવતાર તરીકે લેવા જ પડ્યા. તેવી જ રીતે કૃષ્ણને પણ જેનોએ ભવિષ્યના તીર્થકર તરીકે વર્ણવેલા છે. એવી જ બીજી વ્યક્તિઓ જેવી કે રાવણ, રામ વગેરેને બૌદ્ધ સંપ્રદાયમાં બૌહ, અને જૈનસંપ્રદાયમાં જૈન તરીકે બતાવેલી છે. તેવી રીતે આ દ્રોપદીની કથા પણ ઘડાયેલી હોય તેવું અનુમાન કરીએ તો ખોટું લાગતું નથી. ૧૭ ટિપ્પણ ૧ આઈપુરા આજાનેય–આજનિય-આજબૂ–એક જાતનો ઉત્તમ ઘેડે. આ અધ્યયનમાં ઘેડાના ઉદાહરણથી કથા કહેલી છે માટે તેનું નામ આઈન્ન પડયું છે. 'સંસ્કૃત કેશમાં “કુલીન ઘોડે” એ અર્થમાં આપનેય શબ્દ વપરાયેલો છે. બૌહસાહિત્યમાં તે માટે આ જાનિય અને તેનું વિકૃત રૂપ આજન્મ વપરાયેલાં જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270