Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 114
________________ બત્રીશી-૨, લેખાંક-૧૧ ૧૦૯ ખાતર નાખવામાં આવે તો પણ એમાંથી અંકુરો ફૂટી શકે એમ જ નથી, એ બીજ વિનષ્ટબીજ કહેવાય છે. પણ જેમાં એ ફૂટવાની યોગ્યતા પડેલી છે એ અવિનષ્ટ બીજ છે. કોઠારમાં રહેલા આવા બીજથી ભૂમિ પાણી વગેરે સામગ્રી ન હોવાથી અંકુરા વગેરેની ભલે પ્રાપ્તિ થતી નથી, પણ એમાં એની યોગ્યતા તો રહેલી જ હોય છે. તેમ આ શ્રુતજ્ઞાનમાં ચિન્તાભાવનાજ્ઞાન સંબંધી બોધ પ્રાપ્ત થતા નથી, તેમ છતાં મિથ્યા અભિનિવેશ ન હોવાથી એ બોધની યોગ્યતા રહી હોય છે, માત્ર એ માટે યોગ્ય સમજણ આપનાર પ્રજ્ઞાપક વગેરે સામગ્રી જોઈએ. પણ, પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ' આવો મને જે ભાસે છે તે જ અર્થ સાચો.... બાકી કોઈ અર્થ આ શાસ્ત્ર વચનનો સંભવતો જ નથી.... બીજો કોઈ અર્થ હું સાંભળું જ નહીં... હું માનું જ નહીં... આવો બધો કદાગ્રહ જો બંધાઈ ગયો હોય તો ‘પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ' આવો થયેલો બોધ એ શ્રુતજ્ઞાનરૂપ નથી હોતો, પણ મિથ્યાજ્ઞાન રૂપ હોય છે.... એ વિનષ્ટબીજ સમાન હોય છે. જ આમ જેઓ હજુ માત્ર શ્રુતજ્ઞાન સુધી જ પહોંચ્યા છે તેઓને પોતે જાણેલા અર્થ કરતાં જુદા પ્રકારનો કોઈ જ અર્થબોધ ઉપસ્થિત થતો ન હોવાથી, ‘આ ઔત્સર્ગિક વાત છે’ ને ‘આ આપવાદિક’ ‘આ નિશ્ચયનય છે’ ને ‘આ વ્યવહારનય’ આવું બધું અનુસંધાન શક્ય જ ન હોવાથી તેઓ શાસ્ત્રતત્ત્વને જાણી શકતા નથી એ સ્પષ્ટ છે. નિશ્ચય અને વ્યવહારનય... આ બે માત્ર આત્માને જ લાગુ પડે છે. કારણ કે આત્મા જ એક એવું દ્રવ્ય છે જેમાં અંદરના પરિણામો જુદા ને બહારનો દેખાવ જુદો એવી વિષમતા સંભવિત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો તો જેવા અંદર એવા જ બહાર. એમાં વિષમતા સંભવિત નથી. એટલે આ બે નયનો અન્યત્ર ‘આધ્યાત્મિકનય’ એવો પણ ઉલ્લેખ થયેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146