Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 121
________________ ૧૧૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રૂપ વિવક્ષિત અંશને જણાવનારાં વચનો મળ્યા હોવાથી એ બાબતનું શ્રતમ જ્ઞાન હોય છે. પણ નિત્યત્વ વગેરે રૂપ અન્ય અંશને જણાવનારાં વચનો મળ્યા ન હોવાથી એ અંગે વાક્યર્થ પણ થયો હોતો નથી. છતાં અભિનિવેશ ન હોવાથી પ્રજ્ઞાપનીયતા હોવાના કારણે માર્ગાનુસારીપણું વગેરે સંભવિત લાગે છે. પણ અન્યદર્શનમાં રહેલા જીવોને દૃષ્ટિરાગના સંસ્કારવશાત્ સ્વદર્શનનો આગ્રહ બંધાઈ જવો અને માન્યતા અભિનિવેશમાં પલટાઈ જવી એ ઘણું ખરું શક્ય હોવાથી મોટે ભાગે તો એનો બોધ મિથ્યાજ્ઞાનરૂપ જ બની જતો હોય છે, એ જાણવું. જેને બીજું ચિન્તામયજ્ઞાન થાય છે એનો બોધ નય અને પ્રમાણથી સંવલિત હોવાના કારણે માધ્યચ્યથી પવિત્ર થયેલો હોય છે. આશય એ છે કે શ્રુતમયજ્ઞાનવાળા જીવને તો સ્વદર્શનનો આગ્રહ બંધાયેલો હોવાથી એ પરદર્શનની વાતનું સમર્થન નથી કરતો, પણ ખંડન કરે છે. પણ ચિન્તામયજ્ઞાનને પામેલો જીવ તો નવિભાગ કરવાને સમર્થ હોવાથી, પરદર્શનમાં કહેલી વાતોનું “આ વાત અમુક નયના દૃષ્ટિકોણથી કહેલી છે ને માટે સાચી છે” એમ સમર્થન કરી શકે છે. આમ સ્વદર્શનોક્ત વાતોનું જેમ નયપ્રદર્શનપૂર્વક સમર્થન કરે છે એ જ રીતે અન્યદર્શનોક્ત ન્યાયપૂર્ણ વાતોનું પણ એ નયપ્રદર્શનપૂર્વક સમર્થન કરે છે. આ એની બુદ્ધિમાં રહેલું માધ્યસ્થ છે. નહીંતર તો જો પક્ષપાત હોય તો તો પરદર્શનનું નામ પડવા માત્રથી એનું ખંડન જ કરવા બેસી જાય.) આ માધ્યસ્થના પ્રભાવે, તે તે દર્શનમાં કહેલી વાતો કઈ અપેક્ષાએ કહેલી છે ? એનો નિર્ણય કરવાની ચિન્તા પ્રવર્તે છે, માટે કોઈ એક દર્શનનો કદાગ્રહ પકડાતો નથી, પણ દરેક દર્શનની યોગ્ય બાબતનો સ્વીકાર હોય છે. માટે જ જૈનદર્શનનો પણ એવો કદાગ્રહ પકડાયો હોતો નથી કે “સાચી અને સારી વાતો અમારા જૈનદર્શનમાં જ કહી છે. અન્ય દર્શનોની તો બધી વાતો અસુંદર જ છે.” ઇત્યાદિ. આના કારણે જ અન્યદર્શનમાં પણ જે અકરણનિયમ (હું ફલાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146