Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સર્વવિરતિ એવા ચાર મુખ્ય ભેદ છે. બીજી ભૂમિકા મુખ્યતયા જ્ઞાનાવરણના ક્ષયોપશમને સાપેક્ષ છે ને એના બાળ, મધ્યમ અને પંડિત એવા ભેદ છે. જેનો મોહનીયનો ક્ષયોપશમ ઓછો હોય એનો આ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ ઓછો જ હોય.. અને જેને મોહનીયનો ક્ષયોપશમ વધારે હોય એનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ વધારે જ હોય એવો નિયમ નથી. આમાં વૈપરીત્ય પણ સંભવી શકે છે. એટલે સર્વવિરતિની ભૂમિકા હોવા સાથે બાળપણું હોવું પણ સંભવે છે. એમ અપુનર્બન્ધકની ભૂમિકા હોવા સાથે પંડિતપણું હોવું પણ અસંભવિત નથી. એટલે જ, આઠ વર્ષની ઉંમરે બુદ્ધિનો એટલો વિકાસ ન હોવા છતાં સર્વવિરતિની ભૂમિકા હોવી નિષિદ્ધ નથી. આવા જીવને સર્વવિરતિના માર્ગે લાવવા માટે બહુ ઊંચા સૂક્ષ્મ તત્ત્વોની સમજણ આપવી જરૂરી હોતી નથી. એને તો સંસારમાં ડગલે ને પગલે છજીવનિકાયનો કૂટો (હિંસા) વગેરે કેટકેટલા પાપ છે ને સંયમ જીવનમાં જીવોની દયા વગેરે આચારો કેટલા નિષ્પાપ છે વગેરેની ધૂળથી સમજણ આપવી જ ઉચિત હોય છે. એમ વયસ્ક હોવા છતાં, ગામડામાં રહેવા વગેરેના કારણે એટલી સમજણ શક્તિ ન હોય, અને તેમ છતાં સર્વવિરતિ યોગ્ય ભૂમિકા હોય તો સંયમ જીવનના આચારોનું સ્થૂળ દૃષ્ટિએ વર્ણન કરી, આકર્ષને સંયમ માર્ગે ચઢાવી શકાય છે. એમ અપુનર્બન્ધક કે અવિરતિ સમ્યકત્વી યોગ્ય ભૂમિકા ધરાવનાર શ્રોતા આમ ઘણું ભણ્યો ગણ્યો હોવાના કારણે બુદ્ધિ વિકસિત હોય તો એને એની ભૂમિકા યોગ્ય વાતો પણ સૂક્ષ્મ રીતે કરવી જોઈએ. જેમકે એ જ ભૂમિકાના બાળજીવને જિનપૂજામાં જોડવો હોય તો પૂજાનો મહિમા દર્શાવી પૂજા કરતા કરી દેવાનો. પૂજામાં પુષ્પ વગેરેના જીવોની હિંસા હોવા છતાં એ દોષરૂપ નથી વગેરે એને સમજાવવાનું હોતું નથી, કારણકે જો સમજાવવા જઈએ તો સ્વરૂપહિંસા વગેરેને સમજવાની એની ભૂમિકા ન હોવાથી, “આમાં તો હિંસા થાય એમ વિચારી એ પૂજા ન પણ કરે, ઉપરથી અવહેલના પણ કરે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146