Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “સંસાર દાવાનલ” સ્તુતિ રચનારા અને પિતાને મહારા યાકિનીના પુત્ર તરીકે ઓળખાવનારા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે એમ સામાન્ય રીતે મનાય છે. આની સાબિતી તરીકે આ સ્વતિ એમના કેટલાક અન્ય ગ્રંથોની પેઠે ‘વિરહ ” શબ્દથી અંકિત છે એ બાબત રજૂ કરાય છે. પણ કર્તાવના આ નિર્ણય માટે સબળ પ્રાચીન ગ્રંથસ્થ પૂરા આપી શકાય તે પછી કોઈ જાતને વાંધો ઉઠાવવાને પ્રસંગ રહે નહિ. ચતવિંશતિ પ્રબંધમાં હરિભદ્રસૂરિની કેટલીક કૃતિઓ ગણાવાઈ છે. એમાં આ સ્તુતિને ઉલ્લેખ નથી, પ્રભાવક ચરિતમાં પણ આ રસ્તુતિની નથી. વિક્રમની સોળમી સદી કરતાં વિશેષ પ્રાચીન ગણાય એવો કઈ ગ્રંથસ્થ પૂરા વાંચ્યાનું મને અત્યારે તે પુરતું નથી. આથી આને પ્રાચીનતાની દષ્ટિએ પણ વિચાર કરે ધો. એ દિશામાં હું કંઇક સચન કરું તે પૂર્વે એ નાંધીશ કે-આ સ્વતિમાં પ્રથમ પદમાં બે વાર પામાં એક વાર અને ચેથા પદ્યમાં ત્રણ વાર “સાર' શબ્દનો પ્રયોગ છે. આ પ્રયોગ શું કર્તાના કે એમના ગુરુ જેવાના કાઈ નામનું વતન કરે છે ? એ શું કઈ સહેતુક પ્રયોગ છે? પ્રાચીનતા–પ્રસ્તુત સ્તુતિ હરિભદ્રીય છે કે ન હે પરંતુ એ કેટલી પ્રાચીન છે, એ વિચારવું જોઈએ, કેમકે હરિભદ્રસૂરિના સમય વિષે એકવાક્યતા નથી. આથી આપણે એને વિવિધ દૃષ્ટિએ વિચાર કરવો જોઈએ. (૧) આ સ્તુતિનો સૌથી પ્રથમ ઉલેખ શેમાં મળે છે? (૨) એના ઉપર પ્રાચીનમાં પ્રાચીન ટીકા કઈ છે? () એની પાદપૂર્તિરૂપ કાવ્ય સૌથી પ્રથમ કોણે રચ્યું ? (૪) પ્રતિક્રમણની ક્રિયામાં આ સ્તુતિને ક્યારથી સ્થાન અપાયું છે? (૫) પ્રસ્તુત સ્તુતિની પ્રાચીનમાં પ્રાચીન હાથપથી કયા વર્ષમાં લખાયેલી છે? એ ન મળતી હેય તે પણ એ જાતને કઈ ઉલ્લેખ હેય તે તે શેમાં છે? આ પ્રશ્નોના ઉત્તર અંશતઃ આ લેખમાં હું સચવી; બાકી એના અંતિમ નિયામક ઉત્તર માટે તે વિશેષ પ્રકાશ પાડી શકે અને મારે જ આ કાર્ય કરવાનું હોય તે મારે એને અને મારો અભ્યાસ વધારવો જોઈએ કે જે કાર્ય હાલ તુરત તો બને તેમ નથી. પાદપૂર્તિ–પ્રસ્તુત સ્તુતિની એકંદર પાંચ પાદપૂર્તિ રચાયેલી જાણવામાં છે. એ બાબત આ લેખમાં આગળ ઉપર વિચારાશે. વિવરણ–પ્રસ્તુત સ્તુતિ ઉપર ત્રણ સંસ્કૃત ટીકા હેવાનું જણાય છે. (૧) જ્ઞાનવિમલસૂરિકૃત, (૨) પાર્ધચન્દ્રકૃતિ અને ( ૩ ) અજ્ઞાનકર્તક. આ પૈકી પહેલી મૂળ સહિત ટીકા “દયાવિમલ મંથમાળામાં ઈ. સ. ૧૯૧૭ માં છપાયેલી છે. આ સ્તુતિ ઉપર જૂની ગુજરાતીમાં કોઈકની વ્યાખ્યા છે એની નોંધ મેં ઉપયુક્ત સૂચીપત્ર(પૃ. ૨૦-૨૩૭)માં લીધી છે. આ વ્યાખ્યાકારે આ સ્તુતિ હરિભદ્રસૂરિની હેવાનું કહ્યું છે. અનુવાદશ્રાદ્ધપ્રતિક્રમણ-સૂનાં સાર્થ પુસ્તકોમાં પ્રસ્તુત સ્તુતિના અદ્યાત્મક ગુજરાતી અનુવાદ છપાયા છે. કોઈ કોઈ પુસ્તકમાં હિંદી અનુવાદ પણ જોવાય છે. આ સ્તુતિનો મારે “હરિગીત”માં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42