Book Title: Atmanand Prakash Pustak 051 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિષ્યમાં પણ આવા ઉમદા કેટિના ગ્રંથે ભેટ આપવાની અમારી અભિલાષા છે અને તે બાબતમાં સભાસદ બંધુઓ અને દાનવીર ગૃહસ્થ અમને પૂર્ણ સહકાર આપી જ્ઞાનભકિત તેમજ ગુરુભકિતના અમારા કાર્યમાં સહકાર આપે તેવી વિનંતી છે. સભાની આર્થિક સ્થિતિ–સ પાસે નાણાનું જે ભંડોળ છે, તેને ધારા-ધારણ અનુસાર, પૂરતી જવાબદારી સમજીને, શાસ્ત્રની મર્યાદામાં રહીને સદ્ધર સીક્યુરીટીમાં કે પ્રતિષિત બેંકમાં રોકવામાં આવે છે. સમય તથા સંગેને વિચાર કરીને સભાએ પિતા હસ્તકની મોટી રકમને સ્થાવર મિલકતમાં રોકી છે, જેની વિગત અને કિંમત પાછળ જણાવવામાં આવી છે. રકમનો દુરુપયોગ ન થાય કે જોખમાય નહીં તે માટે કાર્યવાહકે સતત જાગૃત રહે છે. આ ઉપરાંત પ્રકાશન કાર્ય માટે તેમજ વહીવટી ખર્ચ માટે જે રકમની જરૂર પડે તે રકમ બેંકમાં રાખવામાં આવે છે. ભવિષ્યમાં તે આર્થિક સ્થિતિ વૃહિંગત થતી જશે તેમ તેમ તે રકમ સદ્ધર સીકયુરીટીમાં રોકવામાં આવશે. સભા હસ્તક ત્રણ મકાને છે. (૧) શ્રી આત્માનંદ જેન ભવન જેમાં સભાની ઓફિસ છે અને વહીવટી કાર્ય ચાલે છે. (૨) તેની જ બાજુનું આત્મકાતિ જ્ઞાનમંદિર છે, જે ફાયરફ મકાનને બંધાવતાં આશરે બાવીશ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. તે જ્ઞાનમંદિરમાં લોખંડના કબાટમાં હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત રાખવામાં આવે છે. (૩) શ્રી આત્માનંદ પુણ્ય-ભવન, જે મામાકાઠા જેવા મુખ્ય રસ્તા પર આ શ્રી આત્મ-કાન્તિ જ્ઞાનમંદિરના અસ્તિત્વથી સભાની એક અતિ જરૂરિયાતની પૂતિ થયેલ છે. સભા હસ્તક જે સેંકડો અતિ મૂલ્યવાળી હસ્તલિખિત પ્રતે હતી તેની સુરક્ષા થાય છે. પ્રકાશન વિભાગ. સભા હસ્તક પાંચ પ્રકારના સાહિત્યોદ્વાર તેમજ પુસ્તક પ્રકાશનના ખાતા છે. (૧) શ્રી આત્માનંદ સંસ્કૃત ગ્રંથમાળા–જેમાં પૂર્વાચાકૃત મૂળ, ટીકા, તત્વજ્ઞાન, ગણિત, કર્મવાદ, નાટક, કાવ્ય વિગેરે ગ્રંથે છપાય છે. આ કાર્ય સં. ૧૯૬૬ થી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ ગ્રંથમાળા ધારા ૯૨ ની સંખ્યામાં પુસ્તક-પ્રકાશન થયું છે. જેને મેટો ભાગ પ્રચાર તરીકે ભેટ પણ આપવામાં આવેલ છે. પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજે, જેને વિદ્વાને, જૈનેતર સ્કોલરો, લાઈબ્રેરીઓ તેમજ જ્ઞાનભંડારોને આ ગ્રંથમાળામાંથી અત્યારસુધી ૩૪૧૩૨ રૂપિયાના ગ્રંથ ભેટ તરીકે અપાયા છે. માત્ર ભારતવર્ષમાં નહિ પરંતુ અમેરિકા, બ્રિટન, ચીન, જાપાન અને ટીબેટની સરકારી લાઈબ્રેરીમાં આ પુસ્તક ભેટ આપવામાં આવ્યા છે અને તે તે દેશના દર્શનશાસ્ત્રીઓએ આ ઉત્તમ પ્રકાશનોની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. જે માંહેની કેટલીક હકીકત શ્રી આત્માનંદ પ્રકાશમાં પ્રગટ છે. “ શ્રી આત્માનંદ પ્રકાશ” માસિક પણ અમેરિકન સરકારી લાઈબ્રેરીમાં જાય છે. આ પુરત પઠન-પાઠન-તેમજ વાંચન-મનનમાં ઉપયોગી નીવડવાથી સભાને અત્યંત આનંદ થાય છે. અમારી ઇચ્છા આ કાર્યને વિશેષ ને વિશેક કુળદાયક બનાવવાની છે પરંતુ હજુ સુધી સખ્ત મોંધવારી હોવા છતાં દરવર્ષે ભેટના આ ગ્રંથ આર્થિક સહાયવડે છપાય છે, હાલ વ્યાપારની મંદી હોવાથી પ્રકાશન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42