Book Title: Asha ane Dhiraj
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 179
________________ કુટુંબદાક્તર દ એવરીની આગળ, રાતે નવ વાગ્યે, બંને જણ નાસી જઈ શકે તેવી બધી તૈયારી કરી રાખીને ઊભો રહે, એવું નક્કી થયું. પછી ધબકતે હૃદયે તેઓ છૂટાં પડ્યાં. બીજો આખો દિવસ મૅકિસમિલિયને ચિઠ્ઠીની રાહ જોવામાં ગાળ્યો. ત્રીજા દિવસે સવારે તેને નીચેની ચિઠ્ઠી મળી: “આંસ, આજીજી અને પ્રાર્થના નફામાં નીવડયાં છે. આજ રાતે નવ વાગ્યે લગ્નના કરાર ઉપર સહીઓ કરવાનું નક્કી થયું છે. હું પોણા નવ વાગ્યે ઝાંપા આગળ તમારી રાહ જોઈશ. રખે ચૂકતા.” વેલેન્ટાઈન કલ્પી શકાય તેટલી બધી તૈયારીઓ સાથે, ઍકિસમિલિયન, ઝાંપા આગળ ગુપચુપ વેલેન્ટાઇનના નાસી આવવાની રાહ જોતા, આઠ વાગ્યાને તૈયાર ઊભો રહ્યો. ધીમે ધીમે વખત જતાં સાડા નવના ટકોરા પણ પડયા, છતાં વેલેન્ટાઇનના આવવાનાં કંઈ એધાણ જણાયાં નહિ. પછી તે ધડાક દઈને દશ ટકોરો પણ પડ્યો. એટલે મેંકિસમિલિયનનું મગજ અનેક આશંકા-કુશંકાઓથી ઘેરાઈ ગયું; અને તે મરણિયો થઈ, ઝાંપો કૂદી, વિલેફૉર્ટના મકાનમાં જવા બાગમાં દાખલ થયો. થોડે દૂર આગળ વધતાં તેણે બે અવાજ પોતાની સામે આવતા સાંભળ્યા. મેંકિસમિલિયન એક બાજુ અંધારામાં છુપાઈ ગયો. પેલા બેમાંથી એક જણ ભારપૂર્વક પરંતુ કંઈક દયામણે અવાજે બોલ્યો, ના, ના, દાક્તર, એવું ન હોઈ શકે!' એ અવાજ વિલેફૉર્ટને હતે. * ' “જુઓ સાહેબ,” દાક્તરે જવાબ આપ્યો, “મને ખાતરી છે કે મૅડમ સેન્ટમેરાનને ધતૂરાનું ઝેર આપવામાં આવ્યું છે. એ ઝરથી થતા મૃત્યુનાં ચિહને મગજની નસ ફાટવાથી થતા મૃત્યુનાં ચિહે જેવાં જ હોય છે.' પણ એવું બને જ નહિ; મારા ઘરમાં એવું કારમું કૃત્ય કોણ કરે? શા માટે કરે?'

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202