Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 226
________________ (૨) પ્રયાણ, અહંકારમુક્તિ તરફ કે બધું કલ્યાણ થઈ ગયું. ઇગોઇઝમને લઈને આ સંસાર ઊભો રહ્યો છે, બીજા દોષને લઈને નહીં. બંધન ઇગોઇઝમને લીધે છે આ. ઇગોઇઝમ કોઈ પણ રસ્તે નષ્ટ થાય તો મોક્ષ થાય. પ્રશ્નકર્તા : અહંકારનો સંપૂર્ણ નાશ કરવાની રીત જણાવવા કૃપા કરશો. ૩૯૩ દાદાશ્રી : આ દુનિયામાં કોઈ બુદ્ધિનો નાશ કરવા માંગતો હશે ખરો ? કોઈ ના માર્ગે ? પ્રશ્નકર્તા : ઊલટું લોકો બુદ્ધિ વધે એવું માગે. દાદાશ્રી : તો આ તો તમે બુદ્ધિનો નાશ માગો છો ને તો જ અહંકાર સંપૂર્ણ નાશ થાય. જાય શું, એ જપ-તપથી ? પ્રશ્નકર્તા : જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય ? દાદાશ્રી : જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે. આમાં ભક્તિ અહંકાર નથી વધારતી, ભક્તિ તો અહંકારને ઘટાડે છે. પ્રશ્નકર્તા ઃ ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે ? દાદાશ્રી : ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય. પણ ‘એને’ ખરેખર ‘હું કોણ છું’ એનું ભાન થાય, એ જાણે એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય, એક્ઝેકટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઇફેક્ટિવ (અસરકારક) હોવું જોઈએ. પ્રશ્નકર્તા ઃ આ કરીએ છીએ એ ઇગોઇઝમ છે, તો એ ઇગોઇઝમ આપણે છોડવો હોય તો એ બધું નહીં કરવાનું, એમ ? દાદાશ્રી : પણ આ કોણ બોલે છે ? આ ઇગોઇઝમ પોતે જ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) બોલે છે કે, “મારે ઇગોઇઝમ છોડવો છે.' બોલો હવે, એ જાતે મરતો હશે ? જાતે ઝેર ખાય ? એટલે આ ઇગોઇઝમ પોતે બોલે છે કે મારે ઇગોઇઝમ છોડવો છે.' કેટલો બધો વિરોધાભાસ લાગે ? ૩૯૪ પ્રશ્નકર્તા ઃ તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં ? દાદાશ્રી : અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીંને ! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ (સો ટકા) નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય. પ્રશ્નકર્તા ઃ મારામાં અહંકાર નથી એમ કહેવું એ અહંકાર નથી ? દાદાશ્રી : એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો ? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે. પ્રશ્નકર્તા : એ વસ્તુ બરાબર છે પણ અહંકારશૂન્ય બનવું કેવી રીતે, એ જ તકલીફ છે ? દાદાશ્રી : એ બનવાનું તો, એ અહંકારશૂન્યની પાસે જાવ, ત્યાર પછી એનો રસ્તો જડે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં આવો ત્યારે અહંકારશૂન્ય થાય. અહંકાર ઓગાળેલો હોયને તેમને કહીએ, ‘તમે અમને કંઈક હેલ્પ કરો.’ આપણે કહીએ તો એ હેલ્પ કરે. જેમ આપણે કોઈ એક જગ્યાએ ડૉક્ટરને કહીએ કે સાહેબ, આ મારી તબિયત આમ થઈ છે, મને હેલ્પ કરો.' એમાં પૈસા લેવાના હોય છે અને આમાં પૈસા ના હોય એટલો જ ફેર. આપણે કહીએ કે હેલ્પ કરો એટલે હેલ્પ કરે તરત જ. એટલે ઈગોઈઝમ સમાપ્ત કરવાનો માર્ગ ના હોય તો ઇગોઇઝમ ઉત્પન્ન જ ના થાય. આ જગતમાં જે જન્મે એનું મરણ હોય જ, પણ લોકોને રસ્તો જડતો નથી. હવે એ ઇગોઇઝમ તો ખાલી થાય, પણ ક્યાં આગળ થાય ? ત્યારે કહે, જેણે ઇગોઇઝમ ખાલી કરેલો હોય ત્યાં આપણે જઈએ કે ભાઈ, મારો ઇગોઇઝમ ખાલી થાય, એવી કંઈ કૃપા કરો તો એ થઈ જાય. બાકી જેની પાસે ઇગોઇઝમની સિલક જ હોય, તે આપણો ઇગોઇઝમ શી રીતે કાઢી આપે ?

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319