Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 287
________________ (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર ૫૧૫ ૫૧૬ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) શો? આપણે આપીએ ને જતા રહે છે તો બદલો શો ? ઝાડ નીચે બેસીને બહુ વિચાર કર્યો ત્યાર પછી ખબર પડી કે આ તો એનો અહંકાર વેચવા આવ્યો છે. તે કોણ વેચે ? મને કોઈ પૂછે કે ‘તમારે ના હોય તો વેચો?” ત્યારે એ કહે, “ના બા.’ તો પહેલેથી અમારા મિત્રોને આખી ટોળીને કહી દીધું હતું કે, ભઈ આ હાથ માગવા માટે નથી, આ હાથે આપવા માટે છે. અહંકારે કરીને કહું છું કે આ હાથ ભગવાન પાસે માગવા માટે નથી. માટે તમારે કોઈએ ભય ના પામવું કે આ દાદા મારી પાસે માગશે અને તમારે જ્યારે જરૂર હોય તો મને રાતે બે વાગે કહેજો. કારણ કે હું અહંકાર વેચનારો નથી, મહાપરાણે અહંકાર લાવ્યા હોય ! ચગ્યો અહંકાર, પાસ્કા માટે ! એક માણસને મેં કહ્યું કે, “ધર્મભક્તિમાં કંઈ પડને. ત્યારે કહે છે કે, ‘ઘરમાં ધંધો-રોજગાર, બૈરી-છોકરાં એ બધું ત્યાં શી રીતે ધર્મભક્તિ થાય ? મારાથી નવરાશ રહેતી નથી. અને પછી એનો સાળો મરી ગયો, તે લાખોધિપતિ હતો. તે સાળાની વહુ કહે છે કે ‘આ ગયા, હવે કોણ એનું નભાવશે ?” તો આ કહે છે કે “તું ચિંતા ના કરીશ. હું છું.” “તમે તમારું સાચવશો કે મારું સાચવશો ?” ત્યારે એ કહે કે, ‘મારું તો છોકરાં સાચવશે, તું તારે મારી ચિંતા નહીં કરવાની.” તે આખી જિંદગી જો સાળાને ત્યાં પડી રહ્યોને, આનું નામ સંસારી અક્કલ ? પ્રશ્નકર્તા : આપે એને ધર્મમાં પડવાનું કીધું ? પણ તેણે ના માન્યું ? દાદાશ્રી : પણ એ અવકાશ જ ના હોય. પેલી બઈએ જરાક કહ્યુંને, ‘કોણ સંભાળશે આ બધું એનું ?” એટલે પેલાને અહંકાર ચઢ્યો. અને અહંકાર ચઢ્યો એટલે મહીં એગ્રિમેન્ટ (કરાર) બધું કરી આપ્યું. અહંકાર ત્યાં અસહજતા ! પ્રશ્નકર્તા : ભગવાનની કૃપાથી કે કદાચ આપણાં કર્મબળને લઈને સંસ્કારના ઉદયથી વખતે હોય, પણ અત્યાર સુધી પ્રમાણિકપણું, ચારિત્ર્યવાન કે ખૂબ જ સંતોષી રહ્યા છીએ અને ધનના ઢગલા અથવા વિપુલ સાધનો છતાંય સાદાઈ અપનાવતાં શીખ્યા હોય, તે પણ સહજભાવે, તો પણ તેમાં હું પણું આવતું હશે ? દાદાશ્રી : ના, સહજભાવ હોય ત્યાં “હું ના હોય અને “હું હોય ત્યાં સહજપણું ના હોય, બે ભેગા રહી શકે નહીં, એક જગ્યાએ. એ આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિક એ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ન દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે ‘હા’ કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ. અમારે એવું નહીં, પણ સહજભાવ. કષાય સહિતની પ્રરૂપણા “અશ્રવણીય' ! જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, ‘હું દેખાય નહીં ત્યાં વાત સાંભળજો તો મોક્ષ થશે, નહીં તો મોક્ષ થવાનો નથી. આ બોલ્યાને, બોલનાર અહંકારી, સાંભળનાર અહંકારી, એમાં આપણાં કામ થાય નહીં. જ્યાં ઇગોઇઝમ છે ત્યાં સત્ય વસ્તુ નથી. બોલનારેય અહંકારી હોય, એનામાં ક્રોધ-માન-માયા-લોભ ભરેલાં હોય અને આપણામાંય ક્રોધ-માન-માયા-લોભ ત્યારે બેને શું મળે ? ક્રોધ-માન-માયા-લોભ જેનામાં હોય નહીં, જે પરમાત્મા સ્વરૂપ થઈને બેઠેલા છે ત્યાં આપણે જે કામ ધારીએ તે કામ થઈ શકે. ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના કહેવાય ? ચોવીસ તીર્થંકરો હતા, તે જરાય નબળાઈ એમને નહોતી. અને આ તો જરા આમ સળી કરીએ તો ‘હું', અલ્યા ના મરવાનો હોય તો કહે, ‘હું છું'. ના મરવાનો હોય તેને ‘હું છું” બોલવાનો અધિકાર. આ તો ના છૂટકે બોલવું પડે છે. આ લોકોને બોલવાનો અધિકાર જ નથી. કેશ જોઈએ કે ઉધારિયું ચાલે? એટલે કેશ હોય તો જ લોકોનું કલ્યાણ થાયને ! બાકી, તમારામાં ક્રોધ ને મારામાં ક્રોધ હોય ત્યારે રહ્યું જ શું છે ? વેપાર શાનો માંડ્યો ? ત્યારે કોઈ કહે, “ના, અમારામાં

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319