Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 279
________________ (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર દાદાશ્રી : હા. એ તો જરા દાદાનું યશનામકર્મ છે. બાકી પોતે કશું કરે નહીં. નહીં તો લોકો બધે કહે છેને, ચમત્કાર છે આ બધા. ત્યારે મેં કહ્યું, ‘આ ચમત્કાર કહેવાય નહીં. આ અમારું યશનામકર્મ છે.’ કો’કનું નાનું છોકરું તળાવ ઉપર બેઠું હોય, આવડું બે-ત્રણ વર્ષનું, તેને છોડીને કોઈ જતું રહ્યું હોય, તો આપણે બધા ત્યાં ગયા હોઈએ તો એને શું કરીએ ? એને કહીએ કે ‘ભઈ, મહેનત કર?” પ્રશ્નકર્તા : ના. ૪૯૯ દાદાશ્રી : ત્યારે શું, ખાવાનું મફત ના આપીએ ? એને અહંકાર નથી, ત્યાં સુધી અહંકારીઓ એને મળી આવવાના, બધું સપ્લાય કરનારા. એનું નામ જ ભગવાન. સંસારી ભગવાન કોનું નામ ? અહંકારી એનું નામ સંસારી ભગવાન, એ જ સંસારી ઈશ્વર. નાના છોકરામાં અહંકાર ના હોય એટલે એને હરેક ચીજ સપ્લાય થાય. એવું જ્ઞાનીમાં અહંકાર ના હોય, તે હરેક ચીજ સપ્લાય થાય. તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી. નાનું બાળક આવડું છે માટે નહિ, કો'કનું હોય તોય, આપણે ઘેરથી દૂધ લાવીને એને પાઈએ અને એમ ના કહીએ કે ઘેર જઈને પી આવ, જા ! અરે, બકરીનું બચ્ચું હોય તોય આપણે લાવીને પાઈએ ને બિલાડીનું બચ્ચું હોય તોય પાઈએ. એ બચ્ચાને આપણે છંછેડીએ ને એ કરડે છે, એ અહંકાર નથી, એ સ્વાભાવિક ક્રિયા છે. એટલે આ અહંકારને લઈને જ અટક્યું છે બધું. જેમ જેમ અહંકાર નિર્મૂળ થતો જાય, ઓછો થતો જાય તેમ તેમ બધી વસ્તુઓ તમારા ખોળામાં પડતી જાય. તમારી ઇચ્છા થઈ એ કાયદો કેટલે સુધી છે ? એક બાજુ ઇચ્છા ઉત્પન્ન થવી ને એક બાજુ વસ્તુ ઓન ધી મોમેન્ટ મળી રહે ! એટલો બધો સરસ કાયદો છે ! પ્રશ્નકર્તા : પેલો આત્મા સત્ય સંકલ્પ કરે છે, તો... દાદાશ્રી : આ તો બધી ચવાઈ ગયેલી વાત છે. સંકલ્પ એ કરે નહીં અને કર્યું એટલે તે હાજર થયે જ છૂટકો. એટલી બધી શક્તિઓ છે. ૫૦૦ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) અહંકારે આંતર્યો આત્મઉજાસ ! પ્રશ્નકર્તા: અમારી બધી શક્તિઓ આવરાવાનું મુખ્ય કારણ અહંકાર જ છે ? દાદાશ્રી : અહંકારને લઈને જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છેને ! આંધળો હોય હંમેશાંય. હવે અહંકારના ભાગ પાછા પાડીએ, એના ડિવિઝન પાડીએ કે ભાઈ, આ અહંકાર તો કયા વિષયમાં ? આને લોભમાં અહંકાર વધારે છે, આને માનમાં અહંકાર વધારે છે, એવું બધા અહંકાર. એટલે આ અહંકાર જ આંતરે છે, એવું તમને લાગે છે ? પ્રશ્નકર્તા : અહંકારને લીધે જ ટક્કર થાય ? દાદાશ્રી : આ બધી ભાંજગડ જ અહંકારની છે. હવે આ કહે છે કે દાદા, તમે છે તે બહુ બહુ વિચાર કરી નાખો છો, ત્યારે કહે ના, અમારે પેલો અહંકાર શૂન્ય થઈ ગયો છેને ! આ તમે જે કહેવા માગો છોને તે પાછળ એવું જ કહેશે, આ બુદ્ધિશાળીઓ. કારણ કે આવું કેવી રીતે બને આ ! અલ્યા, એમાં કશુંય કરવું નથી પડ્યું. એ અહંકાર શૂન્ય કરવાની જરૂર છે. નહીં તો એટલું બધું હું શી રીતે કરું આ ? આખા બ્રહ્માંડના વિચાર કર્યા હોય, એટલી બધી વાત માણસ કેવી રીતે વિચારી શકે તે ? પ્રશ્નકર્તા ઃ એ તો વધારે ગૂંચવાય, દાદા ? દાદાશ્રી : ઊલટો વધારે ગૂંચવાય. આ જે આત્માનો પ્રકાશ છે, આ તમને કામ લાગે છે, એ આ વચ્ચે ઇગોઇઝમ છે. ઇગોઇઝમની જેવી ડિઝાઈન છે એ ડિઝાઈન થ્રુ પ્રકાશ આવે છે. ઇગોઇઝમની ડિઝાઈન કેટલાકને આમ હોય, કેટલાકને આમ થાય, કેટલાકને આમ થાય, તે આવી ડિઝાઈન થ્રુ થઈને આવે. પણ જો ઇગોઇઝમ ખલાસ થઈ ગયો હોય તો ? સીધું ડિરેક્ટ જ લાઈટ પડેને ? પ્રશ્નકર્તા : અમારા અહંકારનું જે સ્વરૂપ છે અત્યારે, તેને ઝીરો પર લાવવા માટેનું પુરુષાર્થનું કયું બટન છે ? દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ એ જ. જેટલો શુદ્ઘ ઉપયોગ એટલો

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319