Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 284
________________ ૫૧૦ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર ૫૦૯ પ્રશ્નકર્તા : નથી તો કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી ક્લેક્ટરમાં, અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે હું કંઈક છું, અક્કલવાળો. પ્રશ્નકર્તા : તેમાં અહંકાર ઘવાય છે. દાદાશ્રી : અહંકાર મહીં ઘવાય છે ને હું કંઈક અક્કલવાળો છું. અક્કલનો કોથળો બજારમાં વેચવા જાય તો ચાર આનાય ના આવે. કોઈ લે નહીં. કારણ કે બધા અક્કલના કોથળા, કોણ લે ? તમારે કોઈ કંઈક બોલી ગયો હોય તો તરત થાય કે હું કંઈક છું. હું તો પહેલેથી અક્કલવાળો છું એવું માને. શું કહો છો ? તમારે એવું માને છે ? પ્રશ્નકર્તા : હા, બરાબર. પહેલેથી જ પોતે માને કે હું અક્કલવાળો છું, આમ જ છું બધું. મને કોઈ શું કહી જાય ! દાદાશ્રી : એવું તો કો'ક દહાડો જ હોયને ? પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન નહોતું લીધું ત્યારે હતું કે મને કોઈ શું કહી જાય, અહંકાર એવો હતો પણ હવે બધું એડજસ્ટ કરી લઉં. દાદાશ્રી : ‘હું હોશિયાર છું’ એવું રહે ? પ્રશ્નકર્તા : હા, રહે. દાદાશ્રી : એ રોગ બહુ મોટામાં મોટો. પ્રશ્નકર્તા : પણ હવે બિલકુલ રહેતું નથી. દાદાશ્રી : એમ નહીં, કોઈક વખત રહે છે એવું ? પ્રશ્નકર્તા: ‘હું હોશિયાર છું’ એવું તો નથી રહેતું કોઈ દિવસ, પણ મને કોઈ કહી ના જાય, બસ એની સાવચેતી રાખેલી. દાદાશ્રી : કોઈના દબાણમાં ન આવું, એવું કશુંક હતુંને ? પ્રશ્નકર્તા : હા, એવું ખરું. દાદાશ્રી : ‘હું કંઈક છું’ એ હતુંને, એ જ રોગ. અને એ જ રોગથી અથડાય છે. જ્ઞાન મળે તોય આ રોગ ના જાય. એટલે આ રોગ હજુ રહ્યો હોય તો કાઢી નાખવો. ! બાકી, આ જ્ઞાન મળ્યા પછી પણ આ રોગ રહ્યા કરે છે. પછી આપણે ‘એને’ કહીએને, તો સમજી જઈને ધીમે ધીમે આ રોગ કાઢે છે. પણ કહ્યું ના હોય તો અંદર રહી જાયને. એ રોગ નીકળી જવો જોઈએ. પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું’ એવા રોગનાં લક્ષણો શું ? દાદાશ્રી : એના બહુ લક્ષણ હોય બધાં, અજ્ઞાની જેવા જ લક્ષણ હોય બધાં. પોતાનું ધાર્યું કરે, ફલાણું કરે, માન આપે તો પછી મીઠું લાગે. ઘણાખરા આવા રોગ, બધા બહુ લક્ષણ હોય. માન આપે ને કડવું ના લાગે તો એ જ્ઞાન રહે નહીં એને. માન જો આપતા હોયને તો જ્ઞાનવાળો માણસ તો કંટાળી જાય કે આ માન કોને જાય છે ? ચંદુલાલને માન જાય છે, ચંદુલાલનું શું કરવું ? એટલે આ રોગથી તો બહુ સાચવવા જેવું છે. પ્રશ્નકર્તા : દાદાના મળતાં પહેલાં જે અહંકાર હતો કે હું કંઈક છું, ધાર્યું કરવું હોય તો કરાતું, હવે નથી કરાતું. દાદાશ્રી : ધાર્યું ના થાય, એટલે કરતા નથી હવે. આ કરાતું જ નથી આપણાથી. એ ધાર્યું જે કરાતું હતું, એ આપણને ઊંધે રસ્તે લઈ જતું'તું. પ્રશ્નકર્તા : પણ ઘણીવાર અંદરથી એવું લાગે કે એ શક્તિ જતી રહેલી છે. દાદાશ્રી : એ, ખોટી શક્તિ જો જતી રહે આમાંથી, એટલે સાચી શક્તિ આવે. એ શક્તિ તારા કામની નહોતી, એ ઊંધી શક્તિ ભરાયેલી, એ તો જ્યારે ત્યારે મારી નાખે. પ્રશ્નકર્તા : પણ એ શક્તિ ઘણીવાર આપણાથી સદુપયોગમાં વપરાયને ?

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319