Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 283
________________ (૬) અહંકારનો વ્યવહારમાં આવિષ્કાર દાદાશ્રી : અમે કહ્યુંને, બધાય જ્ઞાનીને હોય એવું. દેશના રૂપે કહે. ટેપરેકર્ડ હોય. એ અંદર બંધ થઈ ગયુંને ? ૫૦૭ પ્રશ્નકર્તા : અને પેલો વચલો માલિકીભાવ ઊડી ગયો. જે અંદરથી બોલવાનો, તે અહંકાર ભાવ ઊડી ગયો. દાદાશ્રી : આત્મસ્વરૂપ જ થઈ ગયો. અક્રિયતા આવી, રહ્યું જ નહીંને. આત્મઅજ્ઞાન ત્યાં વાણી. આત્મઅજ્ઞાન એટલે અહંકાર, ત્યાં વાણી. વાણીથી જગત ઊભું થયું છે ને વાણીથી જગત બંધ થઈ જાય છે. એ જ વાણી જગતને બંધ કરે છે. વાણીથી, અહથી સ્વરૂપની વિસ્મૃતિ થઈ ને એ જ વાણીથી અહમ્ની વિસ્મૃતિ ને સ્વરૂપની સ્મૃતિ થાય છે. પ્રશ્નકર્તા : ‘મારે સુધરવું છે' એવું જે કહે છે, એટલે સુધરવું એ કોને સુધરવું છે ? દાદાશ્રી : એવું છેને, એ જે બગડી ગયેલો છે તે કહે છે કે મારે સુધરવું છે. પ્રશ્નકર્તા : તે અહંકાર ? દાદાશ્રી : અરે, અહંકાર જ, બીજું કંઈ નહીં. આત્માને લેવાદેવા નથી. જે બગડ્યો છે એ સુધરવા માટે પ્રયત્ન કરે છે. પ્રશ્નકર્તા : એટલે સાબુથી કોલસાને ધોઈએ એના જેવું ? દાદાશ્રી : હા, એના જેવું. ઊલટું મહેનત નકામી જવાની બધી. પ્રશ્નકર્તા : કોલસામાંથી ડાયમન્ડ નથી બનતો. દાદાશ્રી : હા, બને જ છેને બધા. એ તો આપણા લોક ડાયમંડ કહે છે, એ પણ એક જાતનો કોલસો જ છેને ? સ્વભાવથી જ ? સ્વભાવ ગુણધર્મ તો કોલસાના જ છેને ! અક્કલતો કોથળો, અહંકારતી ઇંઢોણી ઉપર ! કોઈ ગાળ ભાંડે તો કશું થાય તમને ? આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા ઃ અહંકાર થવાય, તો થાય તો ખરુંને ! દાદાશ્રી : અહંકાર થવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને ? અહંકારને તાજો રાખવો છે તમારે ? ફ્રેશ ? તમને અહંકારની બહુ જરૂર છે ? ૫૦૮ પ્રશ્નકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોયને ? દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીંને ! એને લીધે છે આ બધું. એક જણ ફ્રેન્ચ કટ રાખતો હતો. તે આટલે સુધી આમ વાળ રાખે. તે હેરકટીંગ સલુનવાળાથી સહેજ વધારે કપાઈ ગયું, તે ચીડાઈને પેલાને બે-ચાર ધોલ મારી દીધી ! અલ્યા, થોડુંક વધારે કપાઈ ગયું, એમાં શું બગડી ગયું ?” પણ આ અહંકાર કેવો કામ કરે છે ને ? તમારે એવો અહંકાર કરે કે ? તોફાન માંડે કે ? ડાહ્યો છેને ? કોઈકનો અહંકાર ડાહ્યો હોય. કોઈનો અહંકાર ગાંડો હોય ! એ અહંકારના બેઝમેન્ટ (પાયા) પર પડી રહેલા હોય. લોકોને ‘અક્કલ વગરના' કહે. અને એ અક્કલનો કોથળો ! તે સાવ ખલાસ થઈ જાય, પથ્થર થઈ જાય માણસ ! કોઈને અક્કલ વગરના કહેવાય નહીં, એની મહીં આત્મા છે. એટલે જોખમદારી કેટલી ? આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો વધારી આપે એ રોગ ! કોઈ કહેશે, ‘આ ચંદુભાઈમાં અક્કલ નથી', તો અસર થાય તમને કશી ? પ્રશ્નકર્તા : થાય તો ખરીને. દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ? પ્રશ્નકર્તા : નથી એટલે જ થાય. દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે ? ત્યારે તમે એમ કહો કે હું કલેક્ટર છું ?

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319