Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 267
________________ (૫) અહંકારનો ભોગવટો અકળામણ સહન ન થાય. આ અહીંના સહન કરી શકે. અહંકારનો દાંડો ભારેને ! બહુ જ ભારે દાંડો ! અરે, રથમાં બેસવાનું મળે એટલા માટે આઠ દહાડાના ઉપવાસ કરે. અને આ તો ૭૦-૭૦ દહાડા ઉપવાસ કરે છે. એમને તો પાંચ દહાડાય ઉપવાસ ના થાય. એમનું કામ નહીં. એ તો અહંકાર જોઈએ મોટો, જબરજસ્ત. ૪૭૫ ભગવાને કહ્યું હતું કે એક ઉપવાસ જો કદી શુદ્ધ ઉપયોગપૂર્વક થાય તો અબજો ઉપવાસ જેટલી કિંમત છે. દેહનો શો દોષ ? આ દેહનો દોષ હશે ? આણે બિચારાએ શો ગુનો કર્યો ? ‘આ’ બધામાંથી જો ગુનો કોઈનો ના હોય તો દેહનો છે ! પ્રશ્નકર્તા : ઉપવાસ કરવાથી પુણ્ય તો બંધાયને ? દાદાશ્રી : પણ કેવો ઉપવાસ ? પ્રશ્નકર્તા : ખાવું નહીં તે. ધર્મમાં ઉપવાસ અત્યારે કરે છે તે. દાદાશ્રી : કોણે કહ્યું કે પુણ્ય બંધાય છે ? પ્રશ્નકર્તા : શાસ્ત્રકારોએ લખ્યું છે ને અમારી બુદ્ધિએ વિચાર્યું. દાદાશ્રી : એ ઉપવાસ આજ્ઞાપૂર્વકના હોય ? પ્રશ્નકર્તા : અમે પચ્ચખાણ લઈએ છીએ એ આજ્ઞા થઈને ? દાદાશ્રી : આ લોકોની આજ્ઞા ચાલે નહીં. આ તો ‘અન્ન્ક્વૉલિફાઇડ’ છે, ‘ક્વૉલિફાઇડ’ જોઈએ. કારણ કે એ સમકિતી જોઈએ. ચોથે ગુંઠાણે હોવા જોઈએ. પ્રશ્નકર્તા : તો પછી શું ન જ કરવું ? દાદાશ્રી : કરવું નહીં એવું નહીં, કરજો પણ મનમાં એનું માનશો નહીં કે આનો કંઈ લાભ છે એવું. પ્રશ્નકર્તા ઃ મારાથી ઉપવાસ થતા નથી. દાદાશ્રી : પણ એ પ્રકૃતિ કરે છે, તમે કરતા નથી. આ તમે આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) તો ખાલી અહંકાર કરો છો કે મેં આ ઉપવાસ કર્યો. મેં જીંદગીમાં એક ટંકનોય ઉપવાસ નથી કર્યો. ૪૭૬ એક બહુ મોટા ભક્ત હતા. તેમણે ઉપવાસનું પૂછ પૂછ કર્યું. મેં કહ્યું, ‘કોના દોર્ષ ઉપવાસ કરો છો ? શું ગુના માટે ઉપવાસ કરવાનો ?” આપને શું લાગે છે ? પ્રશ્નકર્તા ઃ શરીર શુદ્ધિ માટે ઉપવાસ થાય. દાદાશ્રી : શરીર શુદ્ધિ માટે એ તો ડૉક્ટરેય કહે છે. એ તો આપણને અજીર્ણ થયું હોય તો ઓછો ખોરાક ખાવ કે ના ખાવ ? એટલે વસ્તુ નથી. આપણા ધર્મને માટે જે ઉપવાસ કરવામાં આવે છે બધા. એ એટલે ઉપવાસ કરવામાં આ દેહની ભૂલ જ નથી ! વગર કામના આને શું કરવા માર-માર કરો છો ? સહેજેય દેહની ભૂલ નથી. પછી પેલા માણસે પૂછ્યું કે ‘તો શું આત્માની ભૂલ છે ?” ત્યારે મેં કહ્યું, ‘એ પણ નથી.’ ત્યારે એ કહે કે “શું મનની ભૂલ હશે ?' ત્યારે મેં કહ્યું, ‘મનનીય ભૂલ નથી આ તો.' ત્યારે એણે પૂછ્યું, તો કોની ભૂલ છે ?” ત્યારે મેં કહ્યું, ‘અહંકારની.’ ત્યારે એ કહે કે ‘અહંકારની ભૂલ છે તો શી રીતે દંડ દેવો ?” મેં કહ્યું, “અહંકારને દંડ દેશો જ નહીં. અહંકારને તમે શું દંડ દેવાના હતા ? અહંકારનું ‘રૂટ કૉઝ’ કાઢી નાખો. અહંકારનું ‘રૂટ કૉઝ’ એ અજ્ઞાનતા. અજ્ઞાનતા કાઢો કે બધું ગયું !' પ્રશ્નકર્તા : અજ્ઞાનતા કેવી રીતે કઢાય ? દાદાશ્રી : જ્ઞાની હોય તો જ એ નીકળે એવી છે, નહીં તો આ ગૂંચવાડા આમ જ રહેવાના છે. ગૂંચવાડા તો આ હું કહું છું, નહીં તો ગૂંચવાડા ગણાતા જ નથી. આ જ બરોબર છે એવું માનવામાં આવે છે. આ તો હું જાણું છુંને એટલે કહું છું કે આ બધાં ગૂંચવાડા ઊભા કરે છે. આખો દહાડો મન ગૂંચાયેલું હોય છે. પોતાના ઘરનું ખાઈ, ઘરના કપડાં પહેરે છે, ઘરની રૂમમાં સૂઈ રહે છે અને આખો દહાડો ચિંતા-ઉપાધિઓ, ચિંતા-ઉપાધિઓ કર્યા કરે ! કોઈ દહાડો સાહેબીપૂર્વક જીવ્યો જ નથી. એવું નથી લાગતું તમને ?

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319