Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 240
________________ (૩) અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ ૪૨૧ ૪૨૨ આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) છેને, એ જ સજીવ અહંકાર છે. આ ગાંયજાનેય નક્કી કરવું પડે કે મારે આમની હજામત કરવી છે. એટલે એ થઈ જ જાય. અને જો કદી ‘હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે’ કહે તો ઊલટો લોહી કાઢશે ! એટલે સહજ થાયને, તો સો ટકા ફળ મળે અને જો કદી બીજું કરવા ગયા તો ચાલીસ ટકા ફળ મળે. એટલે સહજનું ઊંચું ફળ મળે ! અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી અને આવતો ભવ બાંધે છે પાછો, એ જુદું ! પ્રશ્નકર્તા : હું કહું કે મારા વગર આ ચાલે નહીં, એવું જો કહ્યું, એમાં ક્યાં બંધાઈ જાય છે ? - દાદાશ્રી : “મારા વગર ચાલે નહીં', એવું કહેવાની જરૂર શેના માટે હોય છે ? આ કોઈ મોટા માણસ એમ કહે કે હું ના હોઉં તો આ જગતનું શું થશે ? ત્યારે લોક શું કહે કે તમારા જેવા કેટલાય આવ્યા ને ગયા ! પ્રશ્નકર્તા : બાકી કોમનસેન્સવાળો માણસ “મારા વગર નહીં ચાલે’ એવો અહંકાર નથી કરતો, તો એમાં બંધાવાનું ક્યાં આવ્યું ? દાદાશ્રી : ના, આ બધાય લોકો સજીવ અહંકાર જ કરી રહ્યા છે. એવું છેને, આ ઘરમાં પેલો શું કહે છે, “મારા લીધે ચાલે છે, નહીં તો હું ના હોઉં ને તો તારી દશા જ બેસી જાય એવું છે.” આવું કહે ત્યારે પેલી બાઈ પાછી શું કહેશે, “આ જુઓને ! કરવાવાળા આવ્યા ! એ તો હું છું તે આ ચાલે છે, નહીં તો તો આ છોકરીઓ રખડી જાય.’ - ત્યાં પેલો ડ્રાઈવર કહેશે, “મેં બચાવ્યો'. ત્યારે પેલા બચનારાને આપણે પૂછીએ, ત્યારે એ કહે, ‘એ તો હું વધારે કુદ્યો તેથી બચી ગયો. એ શું બચાવવાનો હતો !” ત્યારે પેલો પોલીસવાળો કહે છે, “એ તો હું હતો, તેથી તમે બચી ગયા.’ હવે પેલો ડ્રાઇવર કહે છેને, “મૈને બચા દિયા.’ એટલે એ બધું ગાંડપણ છે. પ્રશ્નકર્તા : પણ એવું બધાએ કરેલું તો હોય છે જ ને ? એ માણસ કહે કે મેં બ્રેક મારી ને પેલો કૂદ્યોય ખરો, એવું બની શકે ? એટલે એવું કહે તો ખરોને ? દાદાશ્રી : પણ પોતે જો બ્રેક મારવા જાયને, તો અવળી બ્રેક વાગે. આ તો અંદર એવી સુંદર વ્યવસ્થા છે કે બ્રેક એના ટાઈમે એક્ઝટ વાગી જ જાય. આ અહંકાર કરવા જાય છેને, તો ઊલટી બેક બગડી જાય છે. બધું અહંકારથી બગડ્યું છે. જગતને બગાડ્યું હોય તો આ બધું અહંકારથી, નહીં તો સહજ ચાલે એવું આ જગત છે ! તમારે તો ખાલી બોલવાનું નક્કી જ કરવાનું. આ વાત બધી મારા જ્ઞાનમાં બધું જોઈ-તપાસીને બોલું છું. રૂપાળા જગતને બગાડ્યું અહંકારે ! હવે તમને લાગે છે, અહંકાર ગયો એવું ? પ્રશ્નકર્તા : કોઈ વખત આવી જાય છે કે ‘હું ચંદુભાઈ છું'. દાદાશ્રી : એ લાગે એવું કે આવી જાય છે પણ એ આવે જ નહીં કોઈ દહાડોય ! પ્રશ્નકર્તા : પણ આપણે સમાજમાં જે હોય, તે વખતે તો કહીએને, કે “હું ચંદુભાઈ છું’. દાદાશ્રી : ના, ના, સમાજનું શું ? ધોલ મારે તોય અહંકાર ના આવે. પ્રશ્નકર્તા : એ અહંકારને છૂટવું હોય તો એ વારે ઘડીએ વચ્ચે વચ્ચે ઊભો કેમ થઈ જાય છે ? દાદાશ્રી : એ ઊભો થતો જ નથી. અહંકાર કોને કહેવાય કે ‘હું ચંદુભાઈ છું અને આ અહંકાર જે દેખાય છે ને વારે ઘડીએ ઊભો થાય છે, એ તો નિર્જીવ અહંકાર છે. એને આપણે જોયા કરવાનું કે, કહેવું પડે ! એટલે આપણું વિજ્ઞાન છે, તે તદન સમજાય એવું છે. બંધ કર્યું ચાર્જીગ પોઈન્ટ ! એટલે બેટરીના સેલ જેમ ડિસ્ચાર્જ થાયને, એ સેલ કંઈ જીવંત

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319