Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 380
________________ અનુભવ રસ ૨૯s ક . પદ - ૪૮ - “માયરી મુને નિરપર વિપદી ન મૂવી" પડદાની પાછળ રાખેલા પ્રતિમાના દર્શન માટે દર્શનાર્થીઓ અત્યંત ઉત્સુક હોય છે. જ્યારે પડદો હટે છે ને દર્શન થાય છે ત્યારે ભક્તજનોનાં હૈયા શ્રદ્ધા, ભક્તિ વડે ભાવવિભોર બની જાય છે. તેમ આ પદમાં કવિ આનંદઘનજીએ રહસ્યદર્શન કરાવ્યું છે. જેમ પાષાણમાંથી પ્રભુ પ્રગટ થાય તેમ આ પદમાં શબ્દદેહે ચેતના પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. મારું જંગલો” નામના રાગમાં ગાયેલ આ પદમાં કવિ કહે છે, માયતી અને નિરપર વિપદી ન મૂવી, [૨] નિરપર રહેવા ઘણું ફુરી, ઘીમે નિગ મતિ કુંવર...માયાદા ચેતન તથા ચેતનાનો અભેદ સંબંધ છે. ચેતના કદી પણ ચેતનથી અલગ સંભવી શકે નહીં ત્યારે તે શુદ્ધ ચેતનાના નામથી ઓળખાય છે. અહીં ચેતનાએ જે ભાવ બતાવ્યો છે તે તેની શુદ્ધદશાની સાપેક્ષવૃત્તિને આધારે છે. ચેતના અને સુમતિને ઘનષ્ઠિ સંબંધ છે. આજ સુધી સુમતિએ ચેતનને સમજાવવા પ્રયત્ન કર્યા તે ચેતનાને લઈને કર્યા છે. વિભાવદશામાં ચેતના અને સુમતિ જાણે એક જ વ્યક્તિનાં બે પાસાં હોય તેવું લાગે છે. છે. બીજી દૃષ્ટિએ વિચારતાં અને અત્યંત ગાઢ સખીઓ હોય અને બંને પરસ્પર દુઃખે દુઃખી થતી હોય તેવું લાગે છે. તેથી જ કવિએ આ પદમાં “માયડી' શબ્દનો પ્રયોગ કર્યો છે. ચેતના સુમતિને કહે છે કે હે માડી હું આજ સુધી ચેતનની સાથે છાયાની જેમ ફરતી રહી કારણકે પતિની સાથે રહેવું તે પત્નીનો ધર્મ છે. જ્યાં પતિ ત્યાં સતી. રામની સાથે સીતા રાજમહેલની રાણી બનીને રહી તો જંગલની વાટે પણ તે જ સાથે ચાલી. તેમ હું પણ મારા પતિની સાથે સાથે જ રહી છું પરંતુ મારે જ્યારે નિષ્પક્ષ રહેવું ત્યારે ચેતનની ઈચ્છાનુસાર મારે પક્ષ લેવો પડે છે. ચેતનને નય-પ્રમાણનું જ્ઞાન ન હોવાથી તે વારંવાર એક બાજુ ઢળી જાય છે. આવા વખતે જો સુમતિનો સુયોગ હોય તો ચેતનને સત્ય સ્વરૂપનું ભાન થાય છે. નહીં તો પોતે તો ઢળે છે અને મને

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406