________________
અનુભવ ૨સ
૩૧૬
આત્મા વેતરણી નદી સમાન છે. આત્મા હળાહળ કુટશાલ્મલી ઝેર જેવો છે. આત્મા જો સીધો ચાલે તો કામધેનુ ગાય અને નંદનવન જેવો છે. આત્મા જ બધું છે. સ્વરૂપ રમણતામાં આત્મા સ્થિર બની જાય તો જેમ નંદનવન આનંદ કરવાનું ક્રીડા સ્થાન છે. તેમ આત્મા પણ સ્વયં આનંદભવન બની જાય છે. વિભાવભાવને કારણે તે વેતરણી નદી તથા હળાહળ ઝેરતુલ્ય બને છે. પોતે જ બધું હોવા છતાં તે બીજા ઉપર દોષારોપણ કરે છે. એ જ તેની વિચિત્રતા છે. પણ માયા-મમતાને કારણે તે ખોટું ખાતું ખતવે છે અને તે ભવસમુદ્રમાં ડૂબે છે. જો ધાર્મિક ક્રિયાકાંડો સત્યસમજણપૂર્વણ ક૨વામાં આવે તો કર્મનાશ થઈ શકે છે. પણ જો આડંબર કે લોકપ્રસંશા માટે અથવા યશ કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે થતાં કાર્યોને ધર્મ માનવાથી જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય છે આત્મલક્ષ્ય થતી ક્રિયા આત્મગુણોની વૃદ્ધિનું કારણ બને છે. લોકપ્રશંસા માટે થતી ક્રિયા આત્માનું અહિત કરનાર છે. પછી તે પ્રશસ્ત હો યા અપ્રશસ્ત હો. દરેક કાર્યનો ક૨ના૨ તો આત્મા જ છે. સાચા-ખોટા ખાતા ખતવનાર આત્મા જ છે. ચેતન જો ચેતી જાય તો સર્વ ચિંતા ટળી જાય. હવે ચેતના, અનુભવને શું કહે છે તે આપણે જોઈએ.
"
तुं हितु मेरो में हितु तेरी, अंतरा काटि जनासी । आनंदघन प्रभु आन मिलावो, नहितर करो धनासी अनुभव ।। ३ ॥
ચેતના, અનુભવમિત્રને કહે છે કે કે અનુભવ ! તું મારું હિત ઈચ્છે અને ભલું થાય તેવા કાર્યો કરે છે. તેમ હું પણ તારું હિત ઈચ્છનાર મિત્ર છું. તારા અહિતમાં મારું અહિત સમાયેલું છે. એમ સમજી હું હંમેશાં તારી સાથે રહું છું. આપણે પરસ્પર એકબીજાના હિતચિંતક છીએ તો પણ મારી તારી વચ્ચે અંતર શું છે તે તું જ કહે શું. મારે તને વારંવાર કહેવું પડે કે તું મારા પ્રભુને સમજાવ. મારે શું તને વારંવાર વિનંતી કરવી પડે ? એ બધું તો પારકા પાસે કરવું પડે છતાં પણ હું તને કહું છું કે મારો અને તેનો વિર કેમ હોય ?
હે અનુભવ ! ચેતનની અને તારી એક ગાંઠ છે માટે જ તને કહું છું કે મારું આ કામ કરી આપવું તે તારો મિત્રધર્મ છે. અનુભવજ્ઞાન થયા પછી ચેતનજી અવશ્ય સમતાના મંદિરે પધારે છે. ચેતન સન્માર્ગે આવે