Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 396
________________ vvvvvwvwwwvvvvvvv મેનકાની દુર્દશા. ૩૯તે તે પાંચ સાત વરસની જેલજાત્રા કરવા જવાના. માટે હવે તારે સંભાળીને ચાલવાનું છે.” આથી મેનકાના શરીરમાંથી પાણી છુટવા લાગ્યું. ગભરાઈ અને બકુલને દયામણું ચહેરે કરગરવા લાગી “તમે મને આશ્રય આપે. કહે તે તમારે ત્યાં રહું, પણ મને બચાવો.” બકુલ–“વાહ! તું પણ ડાહી, તારે લીધે અમારે મરવાને વખત આવે. મારા ઘરમાં તારું કામ નથી.” મેનકાને આ શબ્દો ઘણાજ આકરા લાગ્યા. આવી ક્રોધયુક્ત કઠેર ભાષા બકુલના મેમાંથી કદી પણ સાંભળી નહોતી. તે તે કાંઈ બેલીજ શકી નહીં. આંખમાંથી ખરખર આંસુ ખરવા લાગ્યાં. બસંતીલાલ–“જે મેનકા સાંભળ ! આવા વખતે તું રડે તે શા કામનું? આ તો તું મારા ઘરમાં બેઠી છે એટલે ઠીક છે, પોલીસ પકડી જેલમાં પૂરી દેશે તો કેણુ તારે જામીન થઇ છોડાવવા આવનાર છે? પ્રાણલાલને તે તેના ભાઈએ અને જયંતીલાલને તેના શેઠ લાલભાઈએ જામીન ઉપર છેડાવ્યા, પણ તારે ક્યો ભાઈ કે સગે છે કે તે તારી સંભાળ લેશે? માટે હવે આ માળામાં રહેવું તારે માટે બહુ જોખમ ભરેલું છે. પોલીસ પકડી જશે તે જેલમાં તારી ચામડી ચુંથાશે.” મેનકા–“ ત્યારે મને મારા દેશમાં એકલી દે. અમરાપુર સુધીની કઈ સેબત કરી આપે એટલે ત્યાં ઉતરી ત્યાંથી મોટરમાં એકલી બક્ષીપુર જઈશ.'' બસંતીલાલ–“તે વાત બરાબર છે. સારી સેબત તને મેળવી આપું, તે માટે જરા પણ ચિંતા કરીશ નહીં. કાલે રાત્રે મેલમાં તને જરૂર રવાના કરીશ.” બકુલ–“તારી આ વાત ગમી. તેમાં અમને પણ વધે નહીં, અને તેને પણ વાંધે નહીં. પોલીસ આવીને પુછશે તે કહીશું કે તે તે એરડી ખાલી કરીને ચાલ્યાં ગયાં. ક્યાં ગયાં તેની અમને શી ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418