Book Title: Amrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Author(s): Mahasukhbhai Chunilal
Publisher: Mahasukhbhai Chunilal

View full book text
Previous | Next

Page 405
________________ ૮૮ પ્રકરણ ૩૭ મું. wwwvvvvv દુર્ગા–“આપણે તપાસ કરાવ્યું નહીં એ મેટી ભૂલ થઇ.” મારૂતી—“બે દિવસથી જ વખત બદલાયો એટલે ગફલત થઈ. ત્રીજા દિવસ ઉપર તે એક માણસને વળાવવા આવ્યો હતો ત્યારે તે નવ વાગે ટ્રેન ઉપડી હતી. હું તે આધારે રહે. આપણું માણસો તેજ કારણથી પાછા ગયા હશે. આ પછી બીજી એકે ટ્રેન અનુકૂળ નથી.” એટલામાં તેમને માણસ શેતે શેલતે ત્યાં આગળ આવ્યા અને વિસ્મયપૂર્વક કહેવા લાગે “ હું તે પેલા ઝાંપે ક્યારનો જે રહ્યો છું. ટ્રેનને ટાઈમ બદલાય છે. અરધા કલાક વહેલી થઈ છે. અમે આવ્યા ત્યારે ગાડી ઉપડી ગઈ હતી. સામાન પાછા ઘેર મોકલાવ્યો છે, હું તમારા માટેજ ઉભો રહ્યો છું.” | દુર્ગા–“ચાલે ત્યારે ઘરે પાછાં, નીકળતાં બરાબર શકન નહીં થયા હોય, કાલે જઈશું. મેનકા ! તમે ફીકર રાખશે નહીં. આપણે ત્યાં તમને હરેક પ્રકારે સંતોષ થાય તેમ છે. વળી પેલાં બકુલ નાટક જેવા જવાનું કહેતાં હતાં એટલે બસંતીલાલ અને બકુલ ઓરડીએ તાળું વાશી નાટક જેવા ઉપડી ગયાં હશે. માટે ચાલો આપણે ઘેરે.” એમ સમજાવી તેઓ પાછાં તેજ ટેકસીમાં બેઠાં. રસ્તામાં દુર્ગા મેનકાને કહેવા લાગી “ જુઓ પ્રભુ કેવા સંયોગ મેળવી આપે છે? મારું ઘર તમારે જોવાનું લખેલું તે કેણ મિથ્યા કરે ? મારે ત્યાં જરાપણ મુંઝાવવાનું કારણ નથી.” મેનકા–“જે બનવાનું હોય તેજ બને. તમારા ઘેર આવવામાં મને જરાપણ મુંઝવણ ન હોય. સૌ બેનેને પણ મળાશે. ” ટેકસી એક ગલીમાંથી બીજી ગલીમાં, અને બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં એમ ફરતી ફરતી એક મોટા મકાન આગળ આવી પહોંચી. દુર્ગા નીચે ઉતરી નેકરને બોલાવી પેટીઓ લેવરાવી મેનકાને. લઈ અંદર ગઈ અને ટેકસી ચાલતી થઇ. નવા શિકારને દેખી રાતના પિશાકમાં સજ થયેલી ચાર પાંચ છોકરીઓ તેની પાસે આવી કે દુર્ગાએ મેં મલકાવી જણાવ્યું “આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418