Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૧૫/૧/-/૪૨૩ ૧૦૫ જિલ્લા અવગાહના રૂપે અવા, સ્પર્શનેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગુણ છે. તેનાથી જિલૅન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે.. ભગવન! બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિયના કેટલા કર્કશ-ર ગુણો છે ? ગૌતમ! અનંતા. એ પ્રમાણે અનેન્દ્રિયના પણ જાણવા. એ પ્રમાણે મૃદુ-લg ગુણો સંબધે જાણવું. ભગવાન ! બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય અને અનિન્દ્રિયના કર્કશગુર ગુણો, મૃદુ-લધુ ગુણો તથા કર્કશ- મૃદુ-લધુ ગુણોમાં કોણ કોનાથી અલાહ આદિ છે ? ગૌતમ બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો સૌથી થોડાં છે, સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગુણા છે, ન ઈન્દ્રિયના મૃદુ-લg. ગુણો તેનાથી અનંત ગુણો છે. તેનાથી જિલૈંદ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગણાં છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણતું. પરંતુ ઈન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તેઈન્દ્રિયોને ઘાણેન્દ્રિય સૌથી અલ્ય છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય અલ્પ છે, બાકી બધુ પૂર્વવત પંચેન્દ્રિય તિચિો અને મનુષ્યોને નૈરયિકોની જેમ કહેવું. પણ સ્પન ઈન્દ્રિય છ પ્રકારના સંસ્થાનાકારે છે. તે આ રીતે - સમચતુરસ્ત્ર, ચોધ પરિમંડલ, સાદિ, કુજ વામન અને હૂંડ. વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકોને અસુકુમારવ4 કહેવા. • વિવેચન-૪ર૩ : સૂણ સુગમ છે. નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેટલા આકારે છે ? નૈરયિકોનું શરીર બે પ્રકારે - ભવધારણીય, ઉત્તવૈક્રિય. ભવસ્વભાવથી જ જેની પાંખ મૂળથી જ તોડી નાંખી છે, ડોક વગેરેના રંવાટા ઉખેડી નાંખ્યા છે, એવા પક્ષીના શરીર પેઠે અતિ બીભત્સાકારે છે. ઉત્તર ક્રિય છે, તે પણ હુંડક સંસ્થાનવાળું છે * * * * * અસુરકુમાર સૂત્રમાં તથાસ્વભાવથી ભવધારણીય સમચતુરઢ સંસ્થાન છે, ઉત્તરૅક્રિય અનેક આકૃતિવાળું છે. ઈત્યાદિ - x - • સૂત્ર-૪ર૪ - ભગવાન ! પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્કૃષ્ટ શબ્દોને સાંભળે ? ગૌતમ ! સ્કૃષ્ટ શબ્દોને સાંભળે, અસ્કૃષ્ટ શબ્દોને નહીં ભગવાન ! ઋષ્ટ રૂપોને જુએ કે અસ્કૃષ્ટ ? ગૌતમ! પૃષ્ટ રૂપોને ન જુઓ. સૃષ્ટિને જુએ. એ પ્રમાણે ગંધ, અને સ્પર્શને પણ જાણવા. માત્ર સ્ત્ર આટવાદે છે, સ્પર્શ સંવેદે છે એવો આલાવો કહેવો. ભગવન પવિષ્ટ શબ્દોને સાંભળે છે કે અપવિષ્ટ શબ્દોને ? ગૌતમ ! પવિષ્ટને જ સાંભળે. એ પ્રમાણે સૃષ્ટની માફક પ્રવિષ્ટ કહેતું. • વિવેચન-૪ર૪ :સ્કૃષ્ટ દ્વાર કહે છે - અહીં શ્રોબેન્દ્રિય એ કÚવાચક પદ અપરિગમ્ય છે. ૧૦૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેથી, ભગવત્ ! “શ્રોબેન્દ્રિય પૃષ્ટ શબ્દોને સાંભળે છે ?” પૃષ્ઠ ધૂળના કણની જેમ જેનો શ્લેષાત્મક સંબંધ થાય તે પૃષ્ટ - સ્પર્શ માત્રને પ્રાપ્ત થયેલ. જેના વડે અર્થોનું પ્રતિપાદન કરાય તે શબ્દો, તેને સાંભળે ? અર્થાત્ શ્રોબેન્દ્રિય પૃષ્ટ માત્ર શબ્દ દ્રવ્યને જાણે છે, પણ ધ્રાણેન્દ્રિયાદિ માફક બદ્ધસ્કૃષ્ટ દ્રવ્યને નહીં. કેમકે શબ્દ દ્રવ્યો ઘાણેન્દ્રિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં સૂક્ષમ છે અને ઘણાં છે અને તે ફોગસ્થ શબ્દ યોગ દ્રવ્યને વાસિત કરનારા છે. • x• તેથી આત્મપ્રદેશોની સાથે સ્પષ્ટ માત્ર નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જદી ઉપકરણેન્દ્રિયની શકિતને વ્યકત કરે છે. વળી શ્રોમેન્દ્રિય સ્વવિષયજ્ઞાનમાં ધ્રાણેન્દ્રિયથી વધું સમર્થ છે. તેથી પૃષ્ટ માત્ર દ્રવ્યને જાણે છે, પણ આત્મપ્રદેશ સાથે સંબંધ ન પ્રાપ્ત થયેલા દ્રવ્યોને જાણતી નથી, કેમકે તેનો સ્વભાવ શ્રોબેન્દ્રિયને પ્રાપ્ત વિષયને જાણવાનો છે. આ વિશે નંદિસત્ર ટીકાદિમાં ચર્ચા છે. પૃષ્ટરૂપ-ચક્ષુ પૃષ્ટ રૂપને ન જુએ, પણ અસ્કૃષ્ટ રૂપને જુએ, કેમકે ચક્ષુ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે - x - ગંધાદિ વિષય સૂત્રો સ્પષ્ટ છે, પણ બદ્ધ સ્પષ્ટ ગંઘને સુંઘે છે, આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે – પૃષ્ટ શબ્દ સાંભળે છે, અસ્કૃષ્ટ રૂપને જુએ છે. ગંધ, રસ, સ્પર્શ બદ્ધ ધૃષ્ટતે જાણે છે. પૃષ્ટ એટલે પૂર્વવત્ આત્મ પ્રદેશોની સાથે સંબંધ માત્ર પ્રાપ્ત, બદ્ધ એટલે આત્મપ્રદેશે અપનાવેલ. - X - બદ્ધ સ્કૃષ્ટ એટલે બદ્ધરૂપ થયેલા પૃષ્ટ વિષયને જાણે છે. અન્યને નહીં, કેમકે ગંધાદિદ્રવ્યો બાદર સ્થળ છે, અા છે, વાસક નથી. વળી ઘાણાદિ ઈન્દ્રિયો પણ શ્રોબેન્દ્રિયની અપેક્ષાએ મંદ શક્તિશાળી છે. હવે પ્રવિષ્ટ-અપવિષ્ટનો વિચાર કરે છે - સૂત્ર પાઠ સિદ્ધ છે – માત્ર, સ્પર્શ શરીરમાં ધૂળના કણ માફક થાય, પ્રવેશ મુખમાં કોળીયા માફક થાય. શબ્દાર્થ ભેદ છે. • x - હવે વિષયપરિમાણ નિરૂપણ - • સૂત્ર-૪૫ : ભગવદ્ ! શ્રોઝેન્દ્રિયનો કેટલો વિષય છે? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧ર-ચોજનથી આવેલ અછિન્ન, યુગલરૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. ભગવાન ! ચક્ષુ ઈન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ ! જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટ સાધિક લાખ યોજન અછિન્ન યુગલરૂપ અસ્કૃષ્ટ, અપવિષ્ટ રૂપને જુએ છે. ધાણેન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટની નવી યોજનથી આવેલ અછિદ્મ પુદગલરૂષ પૃષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે, એ પ્રમાણે બાકી. બે ઈન્દ્રિયો જાણવી. • વિવેચન-૪૨૫ : આ સૂત્રમાં શ્રોત્રાદિ ઈન્દ્રિયો પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતી હોવાથી અંગુલના અસંખ્યાત ભાગથી આવેલ શબ્દને સાંભળે છે તેમ પ્રાપ્ત વિષયને જાણે છે, તેથી જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગ જેટલા દૂર રહેલ વિષયને જુએ છે, પણ તેથી

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104