Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ર૩ર મહાનિસીહ-૧-૧૩ સાધ્વી થોડી આલોચના કરે, ઘણાં દોષો ન કહે, સાધ્વીઓએ જે દોષ જોયા હોય તે દોષ જ કહે હું તો નિરવદ્યનિષ્પાપકથી-કહેનારી છું, જ્ઞાનાદિક આલંબનો માટે દોષ સેવવા. પડે એમાં શી આલોચના કરવાની ? પ્રમાદ ની ક્ષમાપના માગી લેનાર શ્રમણી, પાપ કરનાર શ્રમણી, બળ-શકિત નથી એવી વાતો કરનાર શ્રમણી, લોકવિરુદ્ધ કથા કરનારી શ્રમણી, “બીજાએ આવું પાપ કર્યું છે તેને કેટલી આલોચના હોય " એવું કહીને પોતાની આલોચના લેનારી, કોઈની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત સાંભળેલ હોય તે પ્રમાણે કરે પણ પોતાના દોષનું નિવેદન ન કરે તેમજ જતિ આદિ આઠ પ્રકારના મદથી શંકિત થયેલી શ્રમણી...(આવી રીતે શુદ્ધ આલોચના ન લે) [164-165 જૂઠું બોલ્યા પછી પકડાઈ જવાના ભયે આલોચના ન લે, રસ-ઋદ્ધિશાતા ગારવથી દૂષિત થયેલી હોય તેમજ આવા પ્રકારના અનેક ભાવ દોષો ને આધીન થયેલી, પાપશલ્યોથી ભરપૂર આવી શ્રમણીઓ અનંતા સંખ્યા પ્રમાણ અને અનંતા કાળે થયેલી છે. તે અનંતી શ્રમણીઓ અનેક દુખવાળા સ્થાનમાં ગયેલી છે. [166-167 અનંતી શ્રમણીઓ જે અનાદિ શલ્ય વડે શલ્પિત થયેલી છે. તે ભાવદોષરૂપ એકજ માત્ર શલ્યથી ઉપાર્જન કરેલ ધોર, ઉંઝ-ઉચ્ચતર એવા ફળના કડવા. ફૂલના વિરસ-રસની વેદનાઓ ભોગવતી આજે પણ પણ નરકમાં રહેલી છે અને હજી ભવિષ્યમાં પણ અનંતા કાળ સુધી તેવા શલ્યથી ઉપાર્જન કરેલા કટુ ફળનો અનુભવ કરશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન કરવું. [168-19] ધગ ધગ એવા શબ્દ કરતા પ્રજવલિત જૂવાળા પંકિતઓથી આકુળ મહાભયંકર ભારેલા મહાઅગ્નિમાં શરીર સહેલાઇથી બળે છે. અંગારના ઢગલામાં એક કુદકો મારીને ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, તેમાંથી શરીર ફરી નથીમાં જાય એવા દુઃખો ભોગવે કે તે કરતા મરવું સારું લાગે. ( [170-171 પરમાધામી દેવો હથિયારોથી નારકી જીવોના શરીરના નાના નાના ટુકડા કાપે, હંમેશાં તેને સલુકાઇથી અગ્નિમાં હોમે, સખત- તિર્ણ કરવતથી શરીર ફડાવી તેમાં લૂણ-ઉસ-સાજીખાર ભભરાવે તેથી પોતાના શરીરને અત્યંત શુષ્ક કરી નાંખે તો પણ જીવતા સુધી પોતાના શલ્યને ઉતારવા સમર્થ બની શકતો નથી. [172-173 જવ-ખાર, હળદર વગેરેથી પોતાનું શરીર લીપીને મૃત:પ્રાય કરવું સહેલું છે. પોતાના હાથે મસ્તક છેદીને ધરી દેવુ એ પણ સહેલું છે. પરંતુ તેનું સંયમ તપ કરવું દુષ્કર છે, કે જેનાથી નિશિલ્ય બની શકાય. - ૧૭૩-૧૭૮]પોતાના શલ્યથી દુઃખી થયેલો, માયા અને દંભથી કરેલા શલ્યોપાપો છૂપાવતો તે પોતાના શલ્યો પ્રગટ કરવા સમર્થ બની શકતો નથી. કદાચ કોઈ રાજા દુશ્ચરિત્ર પૂછતો સર્વસ્વ અને દેહ આપવા કબુલ થાય. પણ પોતાનું દુશ્ચરિત્ર કહેવા સમર્થ થઈ શકતો નથી. કદ્ધચ રાજા કહે કે તને સમગ્ર પૃથ્વી આપી દઉં પણ તારે તારું દુશ્ચરિત્ર પ્રગટ કરવું. તો પણ કોઈ પોતાનું દુરિત્ર કહેવા તૈયાર ન થાય. તેવા સમયે પૃથ્વિીને પણ તૃણ સમાન ગણે-પણ પોતાનું દુશરિત્ર ન કહે. રાજા કહે કે તારું જીવન કાપી નાખું છું માટે તારું દુરિત્ર કહે. ત્યારે પ્રાણોનો ક્ષય થાય તો પણ પોતાનું દુશરિત્ર કહેતા નથી. સર્વસ્વનું હરણ થાય, રાજ્ય કે પ્રાણી જાય તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર કહેતા નથી. હું પણ કદાચ પાતાલ-નરકમાં જઇશ પણ મારું દુશ્ચરિત્ર કહીશ નહીં [178-179] જે પાપી-અધમ બુદ્ધિવાળા એક જન્મના પાપ છુપાવનારા કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181