Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 352 મહાનિસીહ-૭-૧૩૮૦ તો એક વખતના પ્રાયશ્ચિત્તનાં ઉપવાસ કહેવો, બીજી વખત તે જ કારણ માટે છેદ પ્રાયશ્ચિત આપવું. ત્રીજી વખત ઉપસ્થાપના, અવિધિથી ચૈત્યોને વંદન કરતો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. માટે મોટું પ્રાયશ્ચિત કહેલું છે. જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો ફૂલો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો કરે કે સંઘટ્ટો કરાવે કે સંઘટ્ટો કરનારને અનુમોદે, છેદે, છેદાવે, કે છેદનારને અનુમોદે તો આ સર્વ સ્થાનકોમાં ઉપસ્થાપના, ખમણ-ઉપવાસ, (બેઉપવાસ) ચોથભક્ત, (ઉપવાસ) આયંબીલ, એકાસણું, નિવિ, ગાઢ, અગાઢ ભેદથી અનુક્રમે જાણવું. [1381 જે કોઈ ચેત્યોને વંદન કરતો હોય, એવી સ્તુતિ કરતો હોય અથવા પાંચ પ્રકારના સ્વાધ્યાય કરતો હોય તેને વિદ્ધ કરે કે અંતરાય કરે અથવા કરાવે અગર બીજો અંતરાય કરતો હોય તો તેને સારો માને અનુમોદના કરે તો તેને તે સ્થાનકોમાં પાંચ ઉપવાસ છઠ્ઠ કારણવાળાને એકાસણું અને નિષ્કારણીકને સંવત્સર સુધી વંદન ન કરવી. યાવતુ “પારંચિય” કરીને ઉપસ્થાપના કરવી. [1382] જે પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપનાનું પ્રાયશ્ચિત આપવું. બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરનારને ખમણ- (ઉપવાસ) શુન્યાશુન્યપણે એટલે કે આ સૂત્ર બોલાયું છે કે નથી બોલાયું એમ ખ્યાલ રહિતપણે અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરેતો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલોની સાથે પ્રતિક્રમણ કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતમાં પરિભ્રષ્ટ થએલા સાથે પ્રતિક્રમણ કરે તો “પારંચિત” પ્રાયશ્ચિત આપવું. સર્વ શ્રમણસંઘને ત્રિવિધ ત્રિવિધે ખમે નહિ કે ખમાવે નહિ. ક્ષમા આપે નહિ અને પ્રતિક્રમણ કરેતો ઉપસ્થાપના પ્રાયશ્ચિત પદે પદો સ્પષ્ટ અને છૂટા ન બોલતાં એક બીજા પદોમાં ભળેલા અક્ષરોવાળા પ્રતિક્રમણના સુત્રો બોલે તો ચોથ ભક્ત, પ્રતિક્રમણ કર્યા વગર સંથારો કરે, પાટ પર લાંબો થાય, પડખું ફેરવે તો ઉપવાસ, દિવસે સુવે તો પાંચ ઉપવાસ. પ્રતિક્રમણ કરીને ગુરુના ચરણકમળમાં વસતિની આજ્ઞા મેળવીને તે દ્રષ્ટિથી અવલોકન કરે. વસતિને અવલોકન કરીને ગુરુને નિવેદન ન કરે તો છઠ્ઠ, વસતિને સંપ્રવેદન કર્યા વગર રજોહરણ પડિલેહણ કરે તો પુરીમુદ્દ, વિધિપૂર્વક રજોહરણનું પ્રતિલેખન કરીને ગુરની પાસે મુહપત્તિ પડિલેહણ કર્યા વગર ઉપાધિ પડિલેહવાનો સંદિસાઉ નો આદેશ સ્વયં માગી લે તો પુરીમહ, ઉપધિ સંદિસાઉની આજ્ઞા મેળવ્યા વગર ઉપાધિ પડિલેહેતો પુરીમ, ઉપયોગ રહિત ઉપધિ કે વસતિનું પ્રતિલેખન કરે તો પાંચ ઉપવાસ, અવિધિથી વસતિ કે બીજું કાંઈ પણ પાત્રક માત્રક ઉપકરણ વગેરે લગાર પણ અનુપયોગ કે પ્રમાદથી પ્રતિલેખન કરે તો લાગલગાટ પાંચ ઉપવાસ, વસતિ, ઉપાધિ, પત્ર, માત્રક, ઉપકરણને કોઈ પણ પ્રતિલેખન કર્યા વગર કે દુષ્પતિલેખન કરીને તેને વાપરે તો પાંચ ઉપવાસ વસતિ કે ઉપાધિ કે પાત્ર માત્રક, ઉપકરણનું પ્રતિલેખન જ ન કરે તો “ઉપસ્થાપન" એ પ્રમાણે વસતિ ઉપધિને પ્રતિલેખન જ ન કરે તો ઉપસ્થાપન એ પ્રમાણે વસતિ ઉપધિને પ્રતિલેખન કર્યા પછી જે પ્રદેશમાં સંથારો કર્યો હોય, જે પ્રદેશમાં ઉપધિની પ્રતિલેખના કરી હોય તે સ્થાનને નિપુણતાથી હળવે હળવે દંડપુચ્છણક કે રજોહરણથી કાજે એકઠો કરીને તેને દ્રષ્ટિથી ન દેખે, કાજામાં છું કે જીવાત ને છૂટા પાડીને એકાંત નિર્ભય સ્થાનમાં ન મૂકે તો પાંચ ઉપવાસ, શું કે કોઈ જીવને ગ્રહણ કરીને કાજો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181