Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 97
________________ અધ્યયન 309 કરીશ, નહીં. કદાચ મારા પ્રાણ પણ તેમ કરતા ચાલ્યા જશે તો પણ હું આરાધક થઈશ. આગમમાં કહેલું છે કે આ લોક કે પરલોકની વિરુદ્ધ કાર્ય હોય તે માટે ન આચરવું, ન આચરાવવું, કે આચરતાને મારે સારો ન માનવો, તો આવા ગુણયુક્ત તીર્થંકરોનું કહેલું પણ તેઓ કરતા નથી તો હું તેમનો વેષ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રરૂપણા કરેલી છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન અયોગ્ય આચરે તો તેને જો ભૂલ સુધારવા માટે સારણા વારણા, ચોયણા, પ્રતિચોયણા, કરવી જોઈએ, એ પ્રમાણે સારણા વારણા ચોયણા પહિચોયણા કરવા છતાં પણ જે વડીલના વચનને અવગણીને આળસ કરતો હોય, કહ્યા પ્રમાણે વર્તાવ ન કરતો હોય, તહરી કરીને આજ્ઞાને સ્વીકારતો ન હોય, ‘ઈચ્છે’નો પ્રયોગ કરીને તેવા અપુકાર્યમાંથી પાછો હઠતો ન હોયતો તેવાનો વેષ ગ્રહણ કરીને કાઢી મૂકવો જોઈએ. એ પ્રમાણે આગમમાં કહેલા ન્યાયથી હે ગૌતમ ! તે આચાર્યે જેટલામાં એક શિષ્યનો વેશ (ગ્રહણ કરી ખેંચી લીધો. તેટલામાં બાકીના શિષ્યો દરેક દિશામાં નાસી ગયા. ત્યાર પછી હે ગૌતમ ! તે આચાર્ય જેટલામાં ધીમે ધીમે તેઓની પાછળ જવા લાગ્યા, પણ ઉતાવળા ઉતાવળા જતા ન હતા. હે ગૌતમ ! ઉતાવળા ચાલેતો ખારી ભૂમિમાંથી મધુરભૂમિમાં સંક્રમણ કરવું પડે. મધુર ભૂમિમાંથી ખારી ભૂમિમાં ચાલવું પડે. કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળીમાંથી કાળીભૂમિમાં, જળમાંથી સ્થલમાં, સ્થલમાંથી જલમાં સંક્રમણ કરીને જવું પડે તે કારણથી વિધિથી પગોની પ્રમાર્જના કરી કરીને સંક્રમણ કરવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન કરવામાં આવે તો બાર વરસનું પ્રાયશ્ચિત પામે. આ કારણથી, ગૌતમ! તે આચાર્ય ઉતાવળા ઉતાવળા ચાલતા ન હતા. હવે કોઈ સમયે સૂત્રમાં કહેલી વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા હતા ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય પાસે ઘણા દિવસની સુધાથી લેવાઈ ગએલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજા સરખો ભય પમાડતો પ્રલયકાળની જેમ ઘોર રૂપવાળી કેસરીસિંહ આવી પહોંચ્યો. મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવ્યું કે જો જલ્દી જલ્દી ઉતાવળ કરીને ચાલે તો આ સિંહના પંજામાંથી ચુકી જવાય અને બચી શકાય, પરન્તુ ઉતાવળથી ચાલવામાં અસંયમ થાય, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવૃત્તિ કરવી સારી નથી. એમ ચિંતવીને વિધિથી પાછા ફરેલ શિષ્યોને જેનો વેષ ઝૂંટવી લીધો હતો તે વેષ તેને આપીને નિષ્પતિકર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અણસણ સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેજ પ્રમાણે રહ્યો. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃ કરણવાળા પંચમંગલનું સ્મરણ કરતા શુભ અધ્યવસાયપણાના યોગે તે બન્નેને હે ગૌતમ ! સિંહે મારી નાખ્યા એટલે તે બન્ને અંતકત કેવલી થયા. આઠે પ્રકારના મલકલંકથી રહિત થએલા તેઓ સિદ્ધ થયા. હવે પેલા 499 સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકાના દુખનો. અનુભવ કરતા હતા અને વળી અનુભવશે તેમજ અનંતસંસાર સાગરમાં પરિભ્રમણ કરશે તે સર્વવૃતાન્ત અનંત કાલે પણ કહેવા કોણ સમર્થ છે? હે ગૌતમ! તે પેલા 499 કે જેઓએ ગુણયુક્ત મહાનુભાગ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધના ન કરી તે અનંત સંસારી થયા. [819] હે ભગવંત ! શું તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું કે આચાર્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181