Book Title: Agam Deep 01 Ayaro Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ અતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉસો-૧ (અધ્યયન-અરિત્રનિરૂપણ) - ઉદેસોઃ 1 - [154] આ સંસારમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન અથવા નિપ્રયોજન જીવોની હિંસા કરે છે તેઓ તે જીવોની ગતિમાં ઉત્પન્ન થાય છે. આવા અજ્ઞાની જીવને વિષયભોગો છોડવા બહુ કઠિન લાગે છે. તેથી તેઓ જન્મ મરણમાં ફસાઈ રહે છે તથા મોક્ષના સુખથી દૂર રહે છે. વળી તેઓ વિષય-સુખને ભોગવી શકતા નથી કે તેથી વિમુખ પણ થઈ શકતા નથી. [૧૫પી તત્ત્વદર્શી જાણે છે કે તૃણના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ ઉપર બીજું બિંદુ પડવાથી અથવા વાયુથી કંપિત થતાં નીચે પડે છે, તેવી રીતે અજ્ઞાની, અવિવેકી, પરમાર્થને નહિ જાણનાર જીવોનું જીવન પણ અસ્થિર છે. છતાં... અજ્ઞાની જીવ કૂરકર્મ કરતાં થકા દુઃખથી મૂઢ બની વિપરીતતાને પ્રાપ્ત થાય છે અને મોહના કારણે ગર્ભ અને મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે મોહના કારણે ફરી ફરી સંસારમાં ભ્રમણ કરે છે. [15] જે સંશયને જાણે છે તે સંસારના સ્વરૂપને જાણે છે. જે સંશયને જાણતા નથી તે સંસારને પણ જાણી શકતા નથી. ૧પ૭] જે કુશળ છે તે ગૃહસ્થને સેવે નહીં (સ્ત્રીસંગ કરે નહિ.) જે ગૃહસ્થ સેવન (સ્ત્રીસંગ) કરે છે પણ ગુરુના પૂછવા પર નિષેધ કરે છે, તે અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જોઈ પ્રાપ્ત થયેલા કામભોગોનું સેવન ન કરે અને બીજાને સેવન કરવાનો ઉપદેશ પણ ન આપે. એમ હું કહું છું. [158 રૂપાદિ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બની નરકાદિ ગતિમાં ઘણાં જાય છે, તે જુઓ. વળી લોકમાં કેટલાય સાવધ અનુષ્ઠાન કરનારા આ ભવમાં વારંવાર દુઃખોને ભોગવે છે. સાવધ અનુષ્ઠાન કરનારા અન્ય તીર્થિક સાધુ અથવા શિથિલાચારી ગૃહસ્થોની સમાન જ દુઃખના ભાગી હોય છે. સંયમ અંગીકાર કરવા છતાં પણ વિષયાભિલાષાથી પીડિત થઈ અજ્ઞાની જીવ અશરણને શરણ માનતો થકો પાપકારી કયોંમાં પ્રસન્ન રહે છે. આ સંસારમાં કેટલાય સાધુ, એકલવિહારી થઈ જાય છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લોભી, બહુ પાપી, અનેક પાપોમાં રત, જગતને ઠગવા-નટની જેમ વેશ બદલનાર, ધૂર્ત દુષ્ટ અધ્યવસાયવાળા, હિંસાદિ આસવોમાં ગૃદ્ધ, દુષ્કર્મોથી યુક્ત હોવા છતાં પણ પોતાની પ્રશંસા કરે છે, અજ્ઞાન અને પ્રમાદના દોષથી કરેલા પાપોને છૂપાવે છે. “મને કોઈ દુષ્કર્મ કરતાં ન જોઈ જાય.” એવા વિચારથી તે એકલો વિચરે છે. સદા મૂઢ રહે છે. ધર્મને જાણતો નથી. તે મનુષ્ય ! જે પાપાનુષ્ઠાનથી નિવૃત્ત નથી, અજ્ઞાની હોવા છતાં પણ મોક્ષની વાત કરે છે, તે દુઃખી જીવો કર્મ કરવામાં જ કુશળ છે. આવા જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃપ-ઉદેસોઃ૧ની બુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન પ-ઉદેસો 2 [159-161] જગતમાં જે નિરારંભજીવી સાધુ છે તે હિંસાદી આરંભથી રહિત થઈ શરીરનો નિર્વાહ કરે છે. ગૃહસ્થોની પાસેથી નિર્દોષ આહાર લઈ અનારંભી જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122