________________
જ્ઞાનમંદિરમાં છે ચિત્ર નં. ૫૯ થી ૬૧). વિ. સં. ૧૪૬માં લખાએલી “કાલકથાની પ્રત પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. ૧૯). સંવત ૧૪૬૮માં લખાએલી સુંદરમાં સુંદર વીસ ચિત્રોવાળી પસૂત્ર અને કાલકકથાની હસ્તપ્રત મને તાજેતરમાં જ પ્રાપ્ત થએલી હોવાથી આ ગ્રંથમાં હું તેનાં ચિત્રો પ્રસિદ્ધ કરી શક નથી, પરંતુ મારા તરફથી એકાદ વર્ષમાં હવે પછી પ્રસિદ્ધ થનાર Master pieces of Kalpsutra Paintings માં લગભગ બધાં ચિત્ર મૂળ રંગમાં પ્રસિદ્ધ થનાર છે, તે તરફ કળાપ્રેમીઓનું લક્ષ ખેંચાવાની રજા લઉં છું. વિ. સં. ૧૪૭૨ માં લખાએલી કાલકકથાની પ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીના ભંડારમાં આવેલી છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહ”માં ચિત્ર નં. ૨૦) વિ. સં. ૧૪૭૩માં લખાએલી કપસૂત્રની એક પ્રત જીરા (પંજાબ)ના ભંડારમાં આવેલી છે (ચિત્ર નં. ૭૨ થી ૧૦૯ સુધી). વિ. સં. ૧૪૭૩માં જ લખાએલી બીજી એક કાલકકથાની પ્રત ફલેધી નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન ફૂલચંદજી ઝાબકના સંગ્રહમાં છે (જૂઓ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં. ૨૩ થી ૨૬ સુધી). ત્રીજી પ્રત વિ. સં. ૧૪૭૩માં લખાએલી અમદાવાદમાં સારાભાઈ નવાબના સંગ્રહમાં છે (જૂઓ
શ્રી કાલાકકથા સંગ્રહમાં (ચિત્ર નં. ૨૧, ૨૨ તથા ૨૭ થી ૪૩ સુધી). ચિત્રકાર ઈયાકે ચીતરેલાં ચાર ચિત્રોવાળી, સંવત ૧૪૭૩માં જ લખાએલી ચેાથી પ્રત સારાભાઈ નવાબના સંગ્રહમાં છે. તારીખ વગરની લગભગ ૧૪પ૦ થી ૧૪૭૫ની મધ્યમાં લખાએલી કપસૂત્રની એક પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૬૨ થી ૭૧ તથા ૭૮થી૮૧ સુધી). વિ. સં. ૧૪૮૯ (ઈ. સ. ૧૪૩૨ માં) લખાએલી વીશ ચિત્રવાળી પ્રત અમદાવાદમાં શ્રીમાન ગોતમભાઈ સારાભાઈના સંગ્રહમાં છે અને વિ. સં. ૧૮૮૯ માં જ લખાએલી અંદર ચિત્રવાળી બીજી એક પ્રત મુંબઈના શાહ સેદાગર શેડ કલાચંદ દેવચંદના સંગ્રહમાં આવેલી છે. વિ. સં. ૧૪૧૦૦ (૧૫૦૦)માં લખાએલી કહ૫સૂત્રની પ્રતના કેટલાંક છૂટાં ચિત્રો જાણીતા પારસી કલાવિવેચક મારા સનેહી શ્રી કાલે ખંડાલાવાલાના સંગ્રહમાં છે. તારીખ વગરની સુંદરતમ ચિત્રાવાળી, વિ. સં. ૧૪૫૦ થી વિ. સં. ૧૫૦૦ ની આસપાસમાં લખાએલી પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં છે (ચિત્ર નં. ૧૧૪ થી ૧૨૫, ૧૫૦ થી ૧પ૯ તથા ૧૮૬ થી ૧૮૭). વિ. સં. ૧૫૦૩ માં લખાએલી “કાલકથાની પ્રત વિદ્વદર્ય ગુરૂદેવ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે (જૂએ “શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્ર નં.૫ થી ૪૯). વિ. સં. ૧૫૧૧ માં લખાએલી “કાલકકથા”ની અગિયાર ચિત્રોવાળી પ્રત અમદાવાદમાં સારાભાઈ નવાબના સંગ્રહમાં છે(જૂઓ શ્રી કાલકકથા સંગ્રહમાં ચિત્રનં.૫૬ થી ૬૧,૬૩થી ૬૬).
વિ. સં. ૧૫૨૪ના માહ સુદિ ૨ ને સોમવારના રોજ લખાએલી સુવર્ણાક્ષરી કપસૂત્રની પ્રત લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ભંડારમાં છે (ચિત્ર નં. ૧૯૨ તથા ૧૯૩). વિ. સં. ૧૫૧૬ ના માહ સુદ ૬ને દીવસે લખાએલી અને ચિત્રકાર સારંગે ચીતરેલી કલ્પસૂત્રની, સુવર્ણાક્ષરી પ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાં છે ચિત્ર નં. ૧૦ અને ૧૧ તથા ૨૧૮ અને ૨૧), વિ. સં. ૧૫૧ ૮ ના કાગ અદિ ૧ ૦
"Aho Shrut Gyanam"