________________
' ખાસ કરીને મારા આ આખા ધંથ પ્રકાશને કાર્યમાં આદિથી અંત સુધી સતત મહેનત કરીને આવું સર્વાગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટે સુયા દીપક પ્રિન્ટરીના માલિક ભાઈ શ્રી નટવરલાલ રાવત તથા શ્રી જયંતિલાલ રાવત વગેરેના ઉપકારને હું કઈપણ રીતે ભૂલી શકું તેમ નથી.
આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થકરે તથા દેવદેવીઓનાં ચિત્રોને ઉગ લેબલે, પિસ્ટ અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જન કેમની ધાર્મિક લાગણી નહિ દુખાવવા વાચકને નમ્ર વિનંતિ છે.
મારા આ ગ્રંથ પ્રકાશનમાં જે જે મુનિ મહારાજે તથા વ્યક્તિઓ તરફથી પ્રત્યક્ષ અગર પરોક્ષ રૂપે મને સહાય મળી હોય તેઓને પણ અત્રે હું આભાર માનું છું.
‘મારા કેટલાક નેહીઓ તરફથી આ ગ્રંથની કિંમતની વાસ્તવિકતા માટે મને પત્ર આવ્યા છે, તેઓને મારે એક જ ખુલાસો છે કે જે પવિત્ર ગ્રંથના એકવીશ વખતના શ્રવણથી મોક્ષ સુખ પ્રાપ્ત થઈ શકે તેવું આપણુ ગુરૂદે ફરમાવે છે, તે જ પવિત્ર ગ્રંથની એકધારી સેવા છેલા એકવીસ વર્ષથી હું કરતું આવ્યું છું અને કરીશ તો પછી મારા જે નિષ્કચન કેમ જ રહે જોઈએ ? તેથી સમાજ વધુમાં વધુ કેટલી કિંમત મને આપી શકશે તે બાબતને પૂરેપૂરે વિચાર કરીને જ મેં આ ગ્રંથની અઢીસો જ નકલ છાપી હોવાથી દરેક નકલની કિંમત બસ રૂપિયા રાખી છે, જૈન સમાજ જેવા સમજદાર સમાજને આટલે ખુલાસે બસ થશે એમ હું માનું છું. * પ્રાન્ત, આ ગ્રંથ મારા સ્વર્ગસ્થ પિતાશ્રી તથા માતુશ્રીને મારા પિતાશ્રીની એક્તાલીસમી સ્વર્ગારેહુણતિથિએ અર્પણ કરવાનો મારો એક જ ઉદેશ છે કે મારી બાલ્યવયમાં કળાના સંસ્કાર પિતાશ્રીઓ તથા માતુશ્રીએ ન પાડયા હેત તે ગુજરાતની પ્રાચીન કળાના આવાં સુંદર પ્રકાશને જગતની કલાપ્રેમી પ્રજા સમક્ષ હું રજૂ કરી શક્યો ન હતો. માત્ર પાંચ જ વર્ષની નાની ઉંમરે મારા પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી સ્વર્ગસ્થ થયા હેવા છતાં તેઓ બંનેના કળા સંસ્કારોને વારસો મને આજીવન કળાની ઉપાસના તરફ આગેકદમ બઢાવવા પ્રોત્સાહન આપી રહ્યો છે અને તેઓ બંનેના એકના એક સંતાન તરીકે આવા પવિત્ર ગ્રંથનું સમર્પણ જ તેઓશ્રીની યાદગીરી માટે યોગ્ય છે.
માહ સુદી ૪ બુધવાર, સંવત ૨૦૦૮ છીપા માવજીની પોળ, અમદાવાદ તા. ૩૦-૧-૧૯૫૨
સારાભાઈ મણિલાલ નવાબ
"Aho Shrut Gyanam"