________________
ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયદિ વિષે હાલ સુરતમાં કશું કહેવાની મારી તયારી નથી. એટલે માત્ર તેમને વિષે એટલું કહું છું કે તેઓ ચિદમાં સકામાં વિદ્યમાન હવાને સંભવ છે. ટિપ્પનકકારે ટિપ્પનકની રચના કરવામાં ચૂર્ણકારનું અનુમિપણું સાધ્યું છે. ચૂર્ણાકાર અને ટિપ્પનકકારે આખા કલપસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજે છે તે ઉપરથી જે પૃથક્કરણ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે.
અંતમાં પ્રસ્તુત કહપસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રસ્તુત કહપસૂત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છદ્મસ્થભાવજનિત અનેકાનેક અલનાએ થવાને સંભવ સહજ છે, તેને વિદ્વાને ક્ષમાની નજરે જુએ અને યોગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે.
લિ. પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાંતિવિજયજી મ. શિષ્ય મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજ
અંતેવાસી મુનિ પુણ્યવિજય
"Aho Shrut Gyanam