Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ૧/૧/૮ દુઃખાશ્રયપણું છે. જન્મ-જરા-મરણ વ્યાધીનું જે ફરી-ફરી થવું તે, તેમાં અઘરૃની જેમ ફરે છે. જલ-સ્થલ-ખેચરોનું પરસ્પર નાશ કરવો, તે વિસ્તાર જેમાં છે, તેમાં આ પ્રત્યક્ષ પ્રમાણ જગમાં પ્રગટ છે. માત્ર આગમગમ્ય નથી. વરાક-તપસ્વી, પ્રાણવધકારી, દુઃખને પામે છે. તે આ પ્રમાણે – શીત, ઉષ્ણ, તૃષ્ણા, ભુખની વેદના. અપ્રતીકાર-સૂતિકર્માદિ રહિત, અટીજન્મ-કાંતારમાં જન્મ, નિત્ય ભય વડે ઉદ્વિગ્ન - ૪ - વાસ-અવસ્થાન, જાગરણ-અનિંદ્રા ગમન, વધ-મારણ, બંધન-સંયમન, તાડન-કુટ્ટુન, અંકન-તપ્તશલાકાદિથી ચિહ્ન કરવું, નિપાતન-ખાડામાં ફેંકવું, નાસાભેદ-નાકમાં છેદ કરવો. છવિચ્છેદ-અવયવો છેદવા. અભિયોગ પ્રાપણ-હઠથી પ્રવૃત્તિ કરાવવી. કસ-ચામડીની લાઠી, આરા-પ્રવણ દંડની અંતર્વતી લોહ શલાકા, તેનો નિપાત. દમન-શિક્ષા કરવી તે. ભારનું વહન કરાવવું, માતા-પિતાનો વિયોગ, શ્રોતસ-નાક અને મુખાદિના છિદ્રો, પરપીડન-દોરડા વડે દૃઢ બંધને બાંધવા. - x - તેને શસ્ત્ર-અગ્નિ-વિષ વડે હણે. ગલ-કંઠ, ગવલના શીંગડાનું વળી જવું અથવા ગળાનું બળથી આવલન મારણ. ગલ-કાંટો, જાળ તેના વડે જળમધ્યેથી મત્સ્યાદિને બહાર આકર્ષવા. તથા ૧૩૫ પઉલન-પકાવવા, વિકલ્પન-છેદવા, ચાવજીવ બંધન અને પાંજરે પુરવા. - - સ્વસૂથમાંથી બહાર કાઢી મૂકાય. ધમણ-ભેંસ આદિમાં વાયુ પૂરવો તે. દોહન-દોહવું તે. કુદંડ-બંધન વિશેષ, ગલ-કંઠમાં જે બંધન. - ૪ - પરિવારણ-નિરાકરણ, પંકજલનિમજ્જન-કાદવયુક્ત જળમાં બુડાડે. વાપ્રિવેશન-પાણીમાં નાંખે, ઓવાયખાડા આદિમાં પાડે, નિભંગ-પડવાથી શરીર ભાંગે. તે વિષમ પર્વતના ટુંક આદિથી પડે તે વિષમનિપતન. તથા દવાગ્નિ જ્વાલા વડે બાળે. ઉક્તન્યાયે તે પ્રાણઘાતી, સો દુઃખો વડે બળતા નરકથી આવીને અહીં તીાિંલોકમાં તે પાપી બાકીના કર્મોથી તિર્યંચ-પંચેન્દ્રિયત્વને પામે છે. કર્મજન્ય દુઃખ પામે છે. - ૪ - ૪ - • સૂત્ર-૮ (અધુરેથી) : ભ્રમર, મશક, માખી આદિ પર્યાયોમાં, તેની નવ લાખ જાતિ-કુલકોટિઓમાં વારંવાર જન્મ-મરણને અનુભવતા, નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવતા સ્પર્શનરસના-ઘ્રાણ-ચક્ષુ સહિત થઈને, તે પાપી જીવ સંખ્યાત કાળ સુધી ભ્રમણ કરતાં રહે છે. --- તે પ્રમાણે કુટુ, કીડી, ધિકા આદિ તેઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોટિઓમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાતકાલ સુધી નાસ્કો સર્દેશ તીવ્ર દુઃખ ભોગવે છે. આ તેઈન્દ્રિયો સ્પર્શન, સન અને પ્રાણથી યુક્ત હોય છે. ગંડૂલક, લૌક, કૃમિ, ચંદનક, આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ કુલ કોટીઓમાં જન્મ-મરણની વેદના અનુભવતા સંખ્યાત હજાર વર્ષો સુધી ભમે છે. તેમને સ્પર્શન, રસન એ બેઈન્દ્રિયો હોય છે એકેન્દ્રિયવમાં પણ પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ-વનસ્પતિ કાયના સૂક્ષ્મ-ભાદર બે ભેદ છે, પતિા-પર્યાપ્તા છે (તથા) પ્રત્યેક શરીરનામ અને સાધારણ ભેદ ૧૩૬ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે. તેમાં પ્રત્યેકશરીર જીવ ત્યાં અસંખ્ય કાળ ભમે છે, અનંતકાય અનંતકાળ સુધી ભમે છે. આ બધાં સ્પર્શન ઈન્દ્રિયવાળા હોય છે. અતી અનિષ્ટ દુઃખવાળા હોય છે. કુદ્દાલ અને હળ વડે પૃથ્વીનું વિદારણ, જળનું મથન અને નિરોધ, અગ્નિ અને વાયુનું વિવિધ શસ્ત્રથી ઘન, પારસ્પારિક આઘાત, મારવા, બીજાના પ્રયોજન સહિત કે રહિત વ્યાપારથી ઉત્પન્ન વિરાધનાની વ્યથા સહેવી, ખોદવુંગાળવું-વાળવું-સડવું-સ્વયં ટુટવુ-મસળવું-કચડવું-છેદવું-છોલવું-વાળ ઉખેડવાપાન તોડવા-અગ્નિથી બાળવા-આ પ્રકારે ભવ પરંપરામાં અનુબદ્ધ હિંસાકારી પાપી જીવ ભયંકર સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરતા રહે છે. જે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પણ જેના પાપકર્મ ભોગવવાના બાકી છે, તે પણ પ્રાયઃ વિકૃત અને વિકલ રૂપવાળા, કુબડા-વામન-બહેરાકાણા-હુઠા-લંગડા-અંગહીન-મુંગા-મમણ-ધ-બાડા-પિશાચગ્રસ્ત-વ્યાધિ અને રોગથી પીડિત, અલ્પાયુષ્ક, શસ્ત્રાવધ્ય, અજ્ઞાન, અશુભલક્ષણા, દુર્બલ, અપશસ્ત્રસંહનની, બેડોળ અંગોપાંગવાળા, ખરાબ સંસ્થાનવાળા, કુરૂપ, દીન, હીન, સત્વહીન, સુખથી વંચિત અને અશુભ દુઃખના ભાજન થાય છે. આવા પાપકર્મી, નરક અને તિર્યંચ યોનિમાં તથા કુમાનુષ-અવસ્થામાં ભટકતા અનંત દુઃખ પામે છે. આ પૂર્વોક્ત પાણવધનો ફળવિપાક છે. જો આલોક-પરલોકમાં ભોગવવા પડે છે. આ વિપાક અલ્પ સુખ, અત્યધિક દુઃખવાળા છે. મહાભયજનક, અતી ગાઢ કર્મરજથી યુક્ત, અતિ દારુણ, કઠોર, સાતા ઉત્પાદક છે. દીર્ઘકાળે તેમાંથી છુટાય છે. પણ ભોગવ્યા વિના છુટાતુ નથી. હિંસાનો આ ફળ વિપાક જ્ઞાતકુળ-નંદન મહાત્મા મહાવીર જિને કહેલ છે. આ પ્રાણવધ ચંડ, રૌદ્ર, ક્ષુદ્ર, અનાજન દ્વારા આચરણીય છે. આ ધૃષ્ણારહિત, નૃશંસ, મહાભયનું કારણ, ભયાનક, માસાજનક અને અન્યાયરૂપ છે. આ ઉદ્વેગજનક, બીજાના પ્રાણોની પરવા ન કરનારા, ધહીન, સ્નેહપિપાસાશૂન્ય, કરુણાહીન છે. તેનું પરિણામ નકગમન છે. મોહમહાભયને વધારનાર અને મરણના કારણજન્ય દીનતાની જનક છે. • વિવેચન-૮ : ભ્રમર આદિ ચઉરિન્દ્રિય છે અથવા ચરિન્દ્રિયોમાં ભ્રમર આદિ જાતિ કુલ કોટી લાખોમાં ઘટાવાય છે. - ૪ - ૪ - ઉરિન્દ્રિયોમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાત હજાર વર્ષ રૂપ કાળ ભમે છે. કેવી રીતે ? નક સમાન તીવ્ર દુ:ખને. ચાર ઈન્દ્રિય યુક્ત છે. હવે તેઈન્દ્રિય કહે છે – કુંયુ, કીડી આદિ. જાતિ-કુલ-કોટિ-લાખ ઈત્યાદિ ઈન્દ્રિય, ગમન સુધી ચઉરિન્દ્રિયના ગમવત્ જાણવું. વિશેષ આ - ગંડૂલય-અળસ, ચંદનક-અક્ષ, તથા એકેન્દ્રિયત્વને પામે. કેવલ પંચેન્દ્રિયાદિત્વને જ ન પામે, એકેન્દ્રિયત્વને પણ પામીને દુઃખસમુદાયને પામે છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95